SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીવાર ભગવાન પાસે બેઠા હશે ? જો કે, હું કોઈને કાંઈ કહેતો નથી. આખરે તમારા ભાવની વાત છે. શ્રીકૃષ્ણ જાહેરાત કરી : જે જલ્દી શ્રીનેમિનાથના પહેલા દર્શન કરી આવશે તેને હું લાક્ષણિક ઘોડો આપીશ. શાંબે સવારે ઊઠતાં જ પથારીમાં બેઠા બેઠા ભગવાનના ભાવથી દર્શન કર્યા. પાલક ઊઠીને અંધારામાં જ સીધો ભાગ્યો... દર્શન કરવા... ભગવાને કહ્યું : ભાવથી પ્રથમ દર્શન શામ્બે કર્યા છે. દ્રવ્યથી પ્રથમ દર્શન પાલકે કર્યા છે. ઘોડો શામ્બને મળ્યો. આપણા દર્શન કોના જેવા છે? શાંબ જેવા કે પાલક જેવા ? * આર્યરક્ષિત સૂરિજીએ આચાર્ય પદ ભાઈ કે કાકા વગેરેને ન આપતાં દુર્બલિકાપુષ્યને આપ્યું. કારણ જણાવતાં કહ્યું : મારું સંપૂર્ણ જ્ઞાન ગ્રહણ કરનાર આ એક જ છે. | ગોઠામાહિલ ઘીના ઘડા જેવા. મારી પાસે ઘણું રહ્યું. તેની પાસે થોડું આવ્યું. 1 ફલ્યુમિત્ર તેલના ઘડા જેવા. તેની પાસે ઘણું ગયું તોય મારી પાસે થોડું રહ્યું. | દુર્બલિકાપુષ્ય વાલના ઘડા જેવા. બધું જ ગ્રહણ કર્યું.” * ભગવાન આપણી અંદર જ બેઠા છે. કોઈક વિરલ જ એના દર્શન કરી શકે છે. “પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય; જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધો અંધ પુલાય.” આનંદઘનજીના આ ઉદ્ગારો અનુભવથી જ સમજાય તેવા છે : અંદર જ પરમ નિધાનરૂપ પ્રભુ બિરાજમાન હોવા છતાં જગતના લોકો કેટલા પાગલ છે ? આ લોકો અંદર રહેલા પ્રભુની સતત કહ્યું કલાપૂર્ણસૂરિએ ૪૧૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy