SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ Tv : પાલીતાણા જેઠ વદ-૭ ૨૪-૬-૨૦૦૦, શનિવાર * આપણા જેવા રખડતા પ્રાણીને આ શાસન મળ્યું તે દરિદ્રને ચિંતામણિ મળી જાય તેવું બન્યું છે. અત્યાર સુધીની રઝળપાટનું કારણ આ શાસન નથી મળ્યું તે છે. “મિયા મનસ્ટિંતિ વિર નવા નિણવયમહંતા '' - જીવવિચાર પૂર્વમાં શાસન મળ્યું હશે તો હૃદયથી આરાધના નહિ કરી હોય. એથી જ ભ્રમણ ચાલુ રહ્યું. બીજાનું [ભુવનભાનુ કેવળી આદિ] ચરિત્ર વાંચતાં આપણને માત્ર એમનો જ વિચાર આવે : એમણે કેટલી ભૂલો કરી ? ખરેખર તો આમ વિચારવાનું છે : આ મારો જ ભૂતકાળ છે. મેં આવી જ ભૂલો કરી છે, આથી જ મળેલું શાસન હારી ગયો. ફલતઃ સંસારભ્રમણ ચાલુ રહ્યું. * આપણને અત્યારે જેવી ધર્મસામગ્રી [માનવભવ, જૈનકુળ, જિન-વાણી, આવું તીર્થક્ષેત્ર, સંયમ-જીવન આદિ] મળી છે, તેવી સામગ્રી બીજા કેટલાને મળી છે ? કેટલા જીવોને આ સામગ્રી નથી મળી ? નિગોદના અનંત જીવો, મોટા ભાગના તિર્યંચો, પીડામાં સબડતા નારકો આ બધા તો બકાત થઈ જ ગયા, પણ માનવમાંય ૪૦૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy