SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્મળ બને તેમ જ્ઞાન સૂક્ષ્મ બનતું જાય. સમક્તિ નિર્મળ શી રીતે બને ? અરિહંતની ભક્તિથી. જિમ જિમ અરિહા સેવીએ રે, તિમ તિમ પ્રગટે જ્ઞાન સલુણા.' એમ લખ્યું, પણ “જિમ જિમ પુસ્તક વાંચીએ રે, તિમ તિમ પ્રકટે જ્ઞાન.” એમ નથી લખ્યું. * અત્યારે ભગવતીમાં ગાંગેય પ્રકરણમાં ભંગાળ ચાલે છે. ગાંગેયના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન જવાબો આપે છે. તેથી ગાંગેય ઋષિને જિ પાર્શ્વનાથ સંતાનીય હતા] પ્રતીતિ થાય છે કે આ મહાવીર પ્રભુ જ સર્વજ્ઞ છે. તે યુગમાં સર્વજ્ઞતાનો દાવો કરનારા બીજા પણ ઘણા [બુદ્ધ, પૂરણ કાશ્યપ, અજિત કેશકંબલી, સંજય વેલઠી, ગોશાલક વગેરે) હતા, તેમાં સામાન્ય માણસ મુંઝાઈ જાય. પણ પ્રશ્નોત્તરીથી ગાંગેય ઋષિ નિઃશંક બન્યા અને ચાતુર્યામમાંથી પંચ મહાવ્રતરૂપ ધર્મ સ્વીકાર્યો. ★ विभिन्ना अपि पन्थानः, समुद्रं सरितामिव । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ॥ જુદા-જુદા નદી માર્ગો, મળે એક જ અબ્ધિને; મધ્યસ્થના જુદા માર્ગો, મળે એક જ મુક્તિને. નદીઓના માર્ગ અલગ, પણ બધી જ નદીઓનું મુકામ એક જ : સમુદ્ર. નર્મદા પશ્ચિમ તરફ વહે તોય સમુદ્રને મળે. ગંગા પૂર્વ તરફ વહે તોય સમુદ્રને મળે. અહીં જ સિદ્ધાચલ પર જુઓને ! કોઈ અહીંથી ચડે, કોઈ ઘેટીપાગથી ચડે, કોઈ રોહિશાળાથી ચડે, ૩૯૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy