SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવન્ ! દેહ સાથેનો અભેદ તોડો ચૈતન્ય સાથેનો અભેદ જોડો. મંદિરમાં ભગવાન પાસે આ માટે જ જવાનું છે. માત્ર હાથ જોડીને મંદિરમાંથી બહાર નથી આવવાનું. એવા દર્શન કરવા કે એક દિવસ હૃદયમાં રહેલા ભગવાન પણ દેખાય. ચોવીસેય કલાક ભગવાન દેખાઈ શકે. * સમ્યક્ત્વ બે પ્રકારે : વ્યવહાર અને નિશ્ચય. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા આ લક્ષણો દ્વારા અંદર રહેલું સમ્યક્ત્વ જણાય. એની ખામી તો સમ્યક્ત્વની ખામી સમજજો. આ પાંચ લક્ષણો હોય તો સમજી લેજો ઃ સમ્યક્ત્વ આવી ગયું છે. આ વ્યવહાર સમક્તિ છે. દેહાધ્યાસ તૂટે તે નિશ્ચય સમક્તિ છે. વિવેકાષ્ટક [જ્ઞાનસાર૧૫મું અષ્ટક] વાંચતાં તમને એનો વિશેષ ખ્યાલ આવશે. સમ્યક્ત્વ એટલે અંદર રહેલી પરમ ચેતનાના પ્રકટીકરણની તીવ્ર ઈચ્છા. આ જ મોક્ષની ઈચ્છા છે. ધ્યેય તરીકે જો આ ગોઠવાઈ જાય તો સમજી લેવું : શુદ્ધ પ્રણિધાન થઈ ગયું છે. પછી મોક્ષ-માર્ગની સાધના શરૂ થશે. શરીરની સુવિધા, અનુકૂળતા વગેરેની જેટલી વિચારણા કરીએ છીએ, એ માટે જેટલું બોલીએ છીએ, તેના કરતાં હજારમા ભાગની વાત પણ આત્મા માટે આપણે કદી કરીએ છીએ ખરા ? ઉપા. યશોવિજયજી મ. કહે છે : देहात्माद्यविवेकोऽयं, सर्वदा सुलभो भवे । ભવળોટ્યાપિ તવ્યેવ-વિવેહ્ત્વતિદુર્ણમ || -જ્ઞાનસાર,૧૫-૨ દેહ-આત્માનો અભેદ તો હર ભવમાં મળે છે, પણ ભેદજ્ઞાન ક્રોડો જન્મોમાં પણ દુર્લભ છે. આજના યુગમાં આત્માની વાત જ ક્રોડો યોજન દૂર ધકેલાઈ ગઈ છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૩૦૭
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy