SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થપણામાં લટકા સાથે કહેતા : અક્ષય ! તમે દીક્ષા લો છો ? શું છે દીક્ષામાં ? ગૃહસ્થપણામાં રહીને સાધના ન થઈ શકે ? ભગવાન મહાવીરના આનંદ-કામદેવ જેવા શ્રાવકોએ પણ દીક્ષા હોતી લીધી. તમે એમનાથી પણ વધ્યા ? સાધુઓ તો તમે જુઓ છો ને ? દીક્ષા લીધા પછી શું કરે છે? પણ હું દીક્ષા લેવાના ભાવમાં મક્કમ રહ્યો. સાધુપણામાં જે સાધના થઈ શકે તે ગૃહસ્થપણામાં શી રીતે થઈ શકે ? * આ જીવનમાં નક્કી કરી જ લો કે મારે ભગવાન મેળવવા જ છે. એ વિના રહેવું જ નથી. ધુંઆડે ધીજું નહિ સાહિબ, પેટ પડ્યા પતીજે...” એમ પ્રભુને કહી દો. પ્રણિધાન [નિર્ધાર, દઢ સંકલ્પ] પાકું હશે તો સિદ્ધિ ક્યાં જશે? મોહરાજાનું આ જ કામ છે : તમારા નિર્ધારને તોડી નાખવો. દીક્ષા લીધી ત્યારે આપણો ધ્યેય શું હતો? આજે શો છે? બદલાઈ નથી ગયો ને ? મોહરાજની ચાલ સફળ નથી બનીને? ભગવાનની અને ગુરુની કૃપા વિના મોહરાજાની ચાલથી બચી શકાય નહિ. આજનો દિવસ તો અપૂર્વ છે. રોજ વાચના જ સાંભળીએ છીએ. આજે તો ભગવાન સામેથી મળવા આવ્યા; જે હિમાલયમાં બિરાજમાન થવાના છે. વાચનાની વાતનો સીધો જ અમલ થયો. ભગવાન તો દર છ મહિને [સમુદ્યાત રૂપે] મળવા આવે જ છે. આપણે ક્યાં સન્મુખ થઈએ છીએ ? બારી ખુલ્લી હોય તો સૂર્ય આવે જ. હૃદય ખુલ્લું હોય તો ભગવાન આવે જ. આપણે હૃદય બંધ કરીને પોકારીએ છીએ : ભગવન્! પધારો. પણ ભગવાન ક્યાં આવે ? બારી બંધ હોય તો સૂર્ય શી રીતે આવે? ભગવાન તો ગુણરૂપે સર્વત્ર વ્યાપ્ત છે જ. જુઓ ભક્તામરમાં ૩૮૦ જે કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy