SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ મમતાજન્ય મલિન આનંદની અહીં વાત નથી. * સાધુને અશન-પાન બે જ બસ હોય. ખાદિમ-સ્વાદિમની સાધુને શી જરૂર ? એમાંય સાધુની ભક્તિના નામે જ ચાલતું હોય ત્યાં આપણાથી જવાય જ શી રીતે ? જઈએ તો જિન-વચનનો આદર રહ્યો ક્યાં ? અહીં અનુકૂળતા ઘણી છે. અનુકૂળતા પતનનો માર્ગ છે. પૂ. કનકસૂરિજી મ. એટલે જ કહેતા : પાલીતાણામાં બહુ રહેવા જેવું નહિ. યાત્રા કરીને રવાના થઈ જવું. દોષિત ગોચરી આવતી હોય, જેનો પરિહાર અશક્ય પ્રાયઃ લાગતો હોય તો કમ સે કમ ત્યાગ તો હોવો જોઈએ ! ફળાદિનો ત્યાગ તો કરી શકાય ને ? પૂ. પ્રેમસૂરિજી મ. જેવાને તો દીક્ષાના દિવસથી જ જીવનભર ફળનો ત્યાગ હતો. ૨૦ વર્ષ પહેલા તો અમારા આ બે મહાત્માઓ ગોચરી માટે ઠેઠ ગામમાં જતા. કોઈ ભક્તિ માટે આવે ને મહાત્માઓની લાઈન લાગે ? કેવું બેહુદું દશ્ય ? મહાત્માઓ તો એમ કહે : અમારે ખપ નથી. વર્તમાન જોગ ! મારી આ વાતો સંભળાય છે ને ? નહિ તો લોકો કહેશે : વાચનાઓ તો ઘણી સાંભળે છે, પણ આચરણમાં કશું જ નથી. ગૃહસ્થોને આપણે કહીએ છીએ : 'अन्यस्थाने कृतं पापं, तीर्थस्थाने विमुच्यते । तीर्थस्थाने कृतं पापं, वज्रलेपो भविष्यति ॥ ' આ વાત આપણને લાગુ ન પડે ? સાધુને શાની જરૂર ? આત્મલાભ કરતાં બીજો કયો મોટો લાભ છે ? જેટલો તમે ત્યાગ કરશો, વસ્તુઓ તમારી પાછળ દોડશે. જેટલી સ્પૃહા કરશો, વસ્તુઓ તમારાથી દૂર ભાગશે. સંયમ પર જરા તો ભરોસો રાખો : સંયમમાં ઉપકારી ચીજની જ્યારે જ્યારે જરૂર પડશે, ત્યારે મળી જ રહેશે. તમને ભરોસો નથી ? ક્યારેય કપડા વગર રહેવું પડ્યું છે ? ૩૧૪ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy