SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ ગુપ્તિ આપણને પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્નેમાં જોડે છે. જો કે આમ ગુપ્તિ નિવૃત્તિ પ્રધાન છે, છતાં શુભ પ્રવૃત્તિ સાવ જ નિષિદ્ધ નથી. ગુપ્તિનો અભ્યાસ એટલે ધ્યાનનો અભ્યાસ. મન આદિ દંડનો અભ્યાસ એટલે દુર્ગાનનો અભ્યાસ. સમાધિ મૃત્યુ માટે આરાધક બનવું પડશે. આરાધક બનવા આ બધું કરવું પડશે. આ બધું અઘરું તો છે, પણ ભવસાગર તરવો હોય તો આ કરવું જ પડશે. બાકી , અનુકૂળતાની શોધમાં જ જીવન પૂરું કરવું હોય તો તમારી મરજી ! પણ એક વાત કહી દઉં : અનુકૂળતાઓ ભોગવવા તો આપણે અહીં નથી જ આવ્યા. અનુકૂળતાઓ તો ઘેર ઘણીએ હતી. મનને અશુભ બનાવનારા, એને દંડરૂપ બનાવનારા રાગ-દ્વેષ જ છે. માટે જ પ્રથમ રાગ-દ્વેષ જીતવાની વાત કહી. રાગ-દ્વેષના આવેશથી ગ્રસ્ત મન જે કાંઈ પણ વિચારશે તે મનોદંડ બનશે, જે કાંઇ પણ વચન નીકળશે તે વચનદંડ બનશે, જે કાંઇ પણ કાયા આચરશે તે કાય-દંડ બનશે. ભોઠ, ગધેડા, ઠોઠ વગેરે શબ્દોના પ્રયોગ વખતે કદી ખ્યાલ આવે છે ઃ આ વચન-દંડ છે ? ““તું ક્યાં શૂળીએ ચડી'તી ?” “તારા શું કાંડા કપાઈ ગયા તા ?” આવું બોલનારને ભવાંતરમાં શૂળીએ ચડવું પડેલું ને બીજાના હાથ કપાયેલા. આ દૃષ્ટાંત આપણે જાણતા હોઈએ તો વચન-દંડનો પ્રયોગ શી રીતે કરી શકીએ ? ' આવા ભગવાનનું શાસન મળ્યા પછી પણ મન-વચન-કાયાની ગહિત પ્રવૃત્તિ ચાલુ રહી તો આપણું ઠેકાણું ક્યારે પડવાનું ? આપણે બીજાને સુધારવા સતત પ્રવૃત્તિશીલ રહીએ છીએ, પણ જાતને તદ્દન બકાત રાખીએ છીએ. હું ઉપદેશ જ આપતો રહું ને મારું જીવન સાવ જ કોરુંધાકોર હોય તો મારું જીવન સાચે જ કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૯૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy