SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ આજે લાગે છે : ભગવાને મને કેવી ઉત્તમ જગ્યાએ ગોઠવ્યો ! કેવી ઉત્તમ પરંપરા મળી ? પૂ. કનકસૂરિજીની વાત એટલે કરું છું કે એમના આલંબનથી એમના જેવા ગુણો આપણા જીવનમાં આવે. * ‘જ્ઞાળાવળ સંયા ।' સાધુ ધ્યાન અધ્યયનમાં સદા રત હોય. ૨૪ કલાકમાં ધ્યાન-અધ્યયન માટે સ્થાન કેટલું ? પહેલા મોટા આચાર્ય મહારાજ પણ પત્રમાં લખતા : ‘‘સ્વાધ્યાય - ધ્યાનાદિ ગુણ સંપન્ન મુનિવરશ્રી’ આવા વિશેષણ સાર્થક ક્યારે બને ? આપણે ધ્યાન - અધ્યયનમાં રત રહીને એ વિશેષણોને સાર્થક બનાવવાના છે. સૂત્ર, અર્થ, આલંબન આદિમાં મનને રમમાણ કરવાનું છે. બાળક જેવું મન કૂદાકૂદ કરવાનું જ છે. એને આવા આલંબનોમાં જોડવાનું છે. * આપણા ગુણોનો વિનિયોગ ન કરીએ તો એ સાનુબંધ નહિ બને, ભવાંતરમાં સાથે નહિ ચાલે. સર્વ પ્રથમ નિજ જીવનમાં ગુણોની સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. ગુણોની સિદ્ધિ થઈ ગયા પછી એ ગુણો બીજામાં વહેંચવાના છે. બેસી નથી રહેવાનું. બીજાનો વિચાર કરવાનો છે. ‘મને મળી ગયું એટલે બસ...' આ વિચાર સ્વાર્થના ઘરનો છે, જેના આપણે સૌ શિકાર બનેલા છીએ. સ્વાર્થના આ કોચલામાંથી બહાર નીકળવું હોય તો ‘પરોવવાર નિયા' પરોપકારનિરત બનવું જ પડશે. બીજાને કરેલી સહાયતામાંથી પેદા થનારો આનંદ એકવાર ચાખશો તો જીવનમાં કદી ભૂલશો નહિ. સ્વાર્થનો આનંદ ઘણો ચાખ્યો, ખરેખર તો સ્વાર્થમાં કોઇ આનંદ હોતો જ નથી, માત્ર આનંદની ભ્રમણા જ હોય છે. ખરો આનંદ પરોપકારમાં છે, બીજાને સહાયક બનવામાં છે. ૨૯૨ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy