SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ એમના દૃષ્ટિકોણને એમની દષ્ટિએ મૂલવવા પ્રયત્ન કરવો. (ii) વાતને બીજો વળાંક આપવો. () અંદર ખળભળાટ હોય ત્યારે આંખો બંધ કરી અંદર જોવા પ્રયત્ન કરવો, એમ કરતાં પણ ન જાય તો મનને (૫) બીજા વિચારોમાં લગાડી દેવું. (vi) આમ છતાં આવેશ ન જાય તો ક્રોધના કડવા ફળ વિચારવા. જેના ફળ કડવા હોય તેવું કૃત્ય શા માટે કરવું? (vi) સંતો-અરિહંતો કેવા શાંત હોય છે ? એમની પ્રશાંત વાહિતા આપણામાં કેમ ન અવતરે ? ભગવાન સદા શાંત સ્વરૂપી છે. આ સ્વરૂપ ભગવાન ભક્તને જ બતાવે છે. “ભગવાન રૂપ બદલાવે છે.” એમ ઘણાને લાગે છે. ખરેખર તો ભગવાન રૂપ નથી બદલતા, આપણા ચિત્તના પરિણામો બદલાય છે. પરિણામો બદલાતાં પ્રભુ બદલાયેલા લાગે છે. - ક્રોધ વખતે તમે ફોટો નહિ પડાવતા. નહિ તો લોકો સમજશે ? આ માણસ નહિ, ભૂત છે. ક્રોધ વખતે આરીસામાં જોજો. ભૂત જેવું મુખ તમને નહિ જ ગમે. એટલે તમે શાંત થઈ જશો. જે પ્રશાંત મહાપુરુષોને તમે જોયા હોય, પૂ. કનકસૂરિજી, પૂ. દેવેન્દ્રસૂરિજી વગેરેને યાદ કરો. (vii) ક્રોધ મોહનીયના કારણે આ ક્રોધ આવ્યો છે. હવે જો ક્રોધ કરીશું તો વધુ ને વધુ ક્રોધ-મોહનીય કર્મ બંધાશે. આમ વિચારવું. (i) જો એને નહિ અટકાવીએ તો એની શૃંખલા ગુણસેનઅગ્નિશર્મા વગેરેની જેમ કેટલાય ભવો સુધી ચાલશે. આવેશમાં જો તમે જવાબ આપશો તો સામાવાળાને તે તીરની જેમ ખૂંપી જશે ને તેના હૃદયમાં વેરની વાવણી થશે. કહ્યું કલાપૂર્ણસૂરિએ ક ૨૦૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy