SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ અને દીન છું તો પણ તારો છું. તારા ગુણના સાગરમાં મીન છું - એમ પ્રભુને પ્રાર્થીને શરણાગતિને મજબૂત બનાવો. રાધાવેધ સાધવા વર્ષો સુધી સાધના કરવી પડે, સતત અભ્યાસ કરતા રહીને સાવધાન રહેવું પડે. અર્જુન જ એક માત્ર રાધાવેધ કરી શક્યો તેનું કારણ તેનો પૂર્વ અભ્યાસ હતો. અહીં પણ મૃત્યુ વખતે સમતાનો પૂર્વ અભ્યાસ હોય તો જ સમાધિ રહી શકે. ••• અને ભૂત પકડાઈ ગયું ! હઠીસિંહ પટેલ સવારના પહોરમાં પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યા હતા. પોતાના લાંબા પડછાયાને ભૂત સમજી તેને પકડવા દોડવા લાગ્યા. પણ આ “ભૂત” તો આગળ ને આગળ ! પકડાય જ નહિ ! “આ ભૂત જબરૂં” પટેલ બબડી ઊઠ્યો. દૂરથી આ દશ્ય જોઈ રહેલા, પટેલની મૂર્ખતા પર હસી રહેલા સહજાનંદ સ્વામી (સ્વામિનારાયણ પંથના પ્રવર્તક) એ કહ્યું : પટેલ ! ઈ “ભૂત” એમ તમારા હાથમાં નહિ આવે. તમે એમ કરો. પૂર્વ દિશા તરફ ચાલવા માંડો. પછી જુઓ કે ઈ “ભૂત” તમારો દાસ બનીને તમારી પાછળ-પાછળ ફરે છે કે નહિ ? તેમ કરતાં “ભૂત” પાછળ ચાલવા લાગ્યું. પટેલ રાજીરેડ થઈ ગયા ! ખરી વાત છે. જે માણસ તૃષ્ણાને પીઠ આપીને ચાલે છે, તેની પાછળ-પાછળ પડછાયાની જેમ લક્ષ્મી ચાલતી આવે છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૦૦
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy