SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ * આ માનવ-જન્મ આવા ગુણોની કમાણી કરવા માટે જ છે. તમે મુંબઈ જાવો છો પૈસા કમાવવા માટે ને ? તેમ અહીં [આ જન્મમાં] ગુણની કમાણી કરવાની છે. અહીં આવ્યા પછી દોષો વધાર્યા તો ? મુંબઈ જેવા મહાનગરમાં પણ તમે પૈસા તો ન કમાવ, પણ પૈસે-ટકે ખુવાર જ થયા કરો તો તમારા દુર્ભાગ્યની શી વાત કરવી ? - ગુણો વધે તેમ પવિત્રતા વધે. પવિત્રતા વધે તેમ સ્થિરતા વધે. સિદ્ધોનો પ્રેમ પૂર્ણ બની ગયો આથી જ એમની સ્થિરતા અત્યંત નિચલ બની ગઈ. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાંચ વ્રતો, ચાર ભાવના વગેરે પ્રભુની તમામ આજ્ઞામાં સર્વ જીવો પ્રત્યે પ્રભુનો ઉછળતો પ્રેમ દેખાશે. 'धर्मकल्पद्रुमस्यैताः मूलं मैत्र्यादि-भावनाः । यै नै ज्ञाता न चाऽभ्यस्ताः, स तेषामतिदुर्लभः ॥" - યોગસાર. પ્રભુમાં આ ચારેય ભાવનાઓ ચિંતનાત્મક નથી રહી, પણ સ્વાભાવિક બની ગઈ છે. ચિંતન કરનારું મન તો વિલીન બની ગયું. હવે મન ક્યાં છે ? પ્રભુ તો મનની પેલે પાર પહોંચી ગયા પ્રભુમાં જે પ્રેમ અને સ્થિરતા આપણે જોઈ શકીએ તો આપણામાં એ ગુણોનું અવતરણ થઈ શકે. * ભગવાનની મૂર્તિ એની એ હોય, પણ આપણી શુદ્ધિ વધતી જાય તેમ તેમ આપણા ભાવો પણ વધતા જાય. * ભગવાન બોલે ? હા. યશોવિજયજી કહે છે : ભ્રમ ભાંગ્યો તવ પ્રભુશું પ્રેમ, વાત કરું મન ખોલીજી; સરળતણે હૈડે જે આવે, તેહ જણાવે બોલીજી...” જે પ્રભુ માટે આપણે ભેખ લીધો, એ પ્રભુ જ આપણને ન કહ્યું કલાપૂર્ણસૂરિએ જ છે
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy