SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયોના નાશ માટે જ ચાર મૈત્રી આદિ ભાવો છે. મૈત્રી આદિ ભાવોના અભ્યાસથી જીવનમાં કટુતાના સ્થાને મધુરતા આવે મૈત્રીથી ક્રોધ, પ્રમોદથી માન, કરુણાથી માયા અને મધ્યસ્થતાથી લોભ કષાયને જીતી શકાય * પ્રથમ સામાયિક છે : સામ. મધુર પરિણામ પ્રગટે. બીજું સામાયિક છે ઃ સમ. તુલા પરિણામ પ્રગટે. ત્રીજું સામાયિક છે : સમ્મ. તન્મય પરિણામ પ્રગટે. આ બધું વિવેચન જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે કરેલું છે. પૂ. પં. ભદ્રંકરવિજયજી એ આ બધા પદાર્થો આપેલા. એ વાંચીએ ત્યારે હૃદય નાચી ઊઠે. સમ એટલે રાગ-દ્વેષના પ્રસંગોમાં સમતા રાખવી. ચિત્તને દરેક પ્રસંગે સમતોલ રાખવું. આ પદાર્થ ભાવિત કરવા હોય તો પૂ. આનંદઘનજી રચિત શ્રી શાન્તિનાથજીનું સ્તવન પાર્ક કરજો. માન-અપમાન ચિત્ત સમગણે, સમ ગણે કનક-પાષાણ રે; વંદક-નિંદક સમ ગણે, ઈસ્યો હોય તે જાણ રે.” ચિત્તને જરાય વિષમ ન થવા દેવું તે સમ સામાયિક છે. આવો સાધક પ્રશંસા સાંભળતાં ખસે, પોતાની નિંદા સાંભળતાં રાજી થાય. એ માને : ઘઉંમાંથી કાંકરા કાઢનારો તો મોટો ઉપકારી છે. એના પર ગુસ્સે થવાનો કોઈ સવાલ જ નથી. નિંદક નિયરે રાખીએ...” આ જ અર્થમાં કહેવાયું છે. આપણું લેબલ “ક્ષમાશ્રમણ”નું છે, પણ અંદર માલ “સમતા”નો છે ખરો ? ઉપર આકર્ષક પેકીંગ હોય ને અંદર માલ ન હોય તો તમે શું કહો ? સમતા વગરના આપણને લોકો શું કહેશે ? - માધ્યચ્ય ભાવથી સમતાની સુવાસ આવે છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૨૧૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy