SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ * શરીર તો આત્માનું ઘર છે. ઘરમાં રહેનાર આત્મા છે. એ આત્મા અંગેની કોઈ રુચિ જાગી ? એ માટેની રુચિ અધ્યાત્મસાધનાનું પહેલું ડગલું છે. આ રુચિને જ આપણે સમ્યગ્દર્શન કહીએ છીએ. જડની રુચિ ઘટ્યા વિના આત્મરુચિ જાગતી નથી. પ્રભુ સ્વયં આપણને સચ્ચિદાનંદમય રૂપે જુએ છે. જો આપણું સ્વરૂપ સચ્ચિદાનંદમય રૂપે હોય જ નહિ તો શી રીતે જુએ ? સંસારી જીવો તો વિષય-કષાયથી, કર્મોથી, ક્લેશો અને સંક્લેશોથી ભરેલા છે. એવા જીવોને સચ્ચિદાનંદરૂપ જોવા ભ્રમણા નથી ? નહિ, પૂ.ઉપા. યશોવિજયજી મ. કહે છે : ગમે તેવા સંસારી જીવો દેખાતા હોય તો પણ સત્તાએ સર્વ જીવો સિદ્ધ સ્વરૂપી જ છે. પણ પોતાને સિદ્ધ સ્વરૂપી જાણીને અભિમાની થઈ જવાની જરૂર નથી : હું તો સિદ્ધ સ્વરૂપી છું. નિશ્વનય કહે છે : તમે સિદ્ધ સ્વરૂપી છો. વ્યવહારનય કહે છે ઃ તમે સંસારી છો. નિરાશા આવી જાય ત્યારે નિશ્ચયનય યાદ કરવો. અભિમાન આવી જાય ત્યારે વ્યવહારનય યાદ કરવો. * મનુષ્ય જન્મ કર્મબંધન માટે નથી વખાણ્યો. મનુષ્ય સાતમી નરકે પણ જાય, પણ તે કારણે એ પ્રશંસનીય નથી. મનુષ્ય કર્મક્ષય કરી શકે છે માટે જ તેનો જન્મ વખણાયો છે. * મોટાભાઈ પાસે જીદ્દ કરીને કંડરીકે દીક્ષા લીધી. એક હજાર વર્ષ સુધી પાળી, પણ છેલ્લે રસનાની આસક્તિએ તેમને પકડ્યા. અનુકૂળતા છોડવી ખૂબ જ મુશ્કેલ છે. પાલીતાણામાં અનુકૂળતા પકડી ન લે તે જોજો. અનુકૂળતાનો રાગ ખતરનાક છે. એમના એવા પરિણામ બગડ્યા કે તે સ્થાન છોડવા તૈયાર જ ન થયા. આખરે ઉત્પ્રવ્રુજિત બની રાજા બન્યા. નાનાભાઈ પુંડરીક રાજામાંથી શ્રમણ બન્યા. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૨૦૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy