SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ વખત ખાઈ-પીને કરો એટલે ખબર પડી જશે. જે દિવસે ખાવા-પીવાનું ન હોય તે દિવસે સ્વાભાવિક રીતે જ આત્મ શક્તિ વૃદ્ધિગત હોય. માટે જ ઉપવાસ ઘરનું ઘર આયંબિલ મિત્રનું ઘર વિગઈ શત્રુનું ઘર ગણાયું છે. * લશ્કરના જવાનોને ટ્રેનીંગ અપાય છે : કેવી રીતે શત્રુ પર હુમલા કરવા ? કેવી રીતે શત્રુના હુમલા ખાળવા ? તે રીતે અહીં પણ બાહ્ય-આત્યંતર તપ દ્વારા કર્મોની સામે લડાઈ કરવાની તાલીમ અપાય છે. જો વહેલામાં વહેલું મોક્ષે જવું હોય તો આ તાલીમ લેવી જ રહી. બની શકે તો ત્રણ જ ભવમાં મોક્ષે જજો. મધ્યમ રીતે પાંચ ભવમાં મોક્ષે જજો. તે પણ ન બને તો આઠ ભવમાં મોક્ષે જજો. પણ આઠથી વધુ ભવ નહિ કરતા. બહુ થયું. બહુ સંસારમાં ભમ્યા. આ રીતે આરાધના કરનાર ત્રણ જ ભવમાં મોક્ષે જાય, એમ શાસ્ત્રકાર અહીં ફરમાવે છે. [ગાથા-૯૮] જ્ઞાનની વાત પૂરી થઈ. હવે ચારિત્રની વાત શાસ્ત્રકાર કહે છે. ચારિત્રની આરાધના સુખપૂર્વક કરી શકીએ માટે જ શ્રી સંઘ આપણને આટલી સુવિધા કરી આપે છે. આટલા હોલ વગેરેમાં રહેવાનું ભાડું કેટલું આવે ? તે પૂછી લેજો. ચારિત્ર ગુણ મેળવવો હોય તો સૌ પ્રથમ હૃદયપૂર્વક તેની [ચારિત્ર ગુણની] પ્રશંસા થવી જોઇએ. ધન્ય છે ચારિત્ર ! ધન્ય છે ચારિત્ર પાળનારા ! એમ હૃદયમાં શુભ ભાવોની ઉર્મિ ઊઠવી જોઈએ. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૮૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy