SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ * સંયમીઓ યાદ આવતાં વર્તમાનમાં થઈ ગયેલા પૂ. દેવેન્દ્રસૂરિજી યાદ આવે. અમારા નિકટના ઉપકારી છે. નિકટના ઉપકારી વધુ યાદ આવે. ઓળી કરાવનાર ધીરૂભાઈ પરિવાર જે ગામના છે, તે જ લાકડીઆ ગામના તેઓ વતની હતા. માતા મૂળીબેન અને પિતા લીલાધરભાઇના આ સંતાનનું નામ ગોપાળભાઈ હતું. લાકડીઆમાં અભ્યાસ કર્યા પછી ધાર્મિક અભ્યાસ માટે મહેસાણા પાઠશાળામાં અભ્યાસ કરવા ગયા. * અસંખ્ય દેવો જેને મેળવવા તલસી રહેલા છે, એ માનવભવ પામીને પણ જો ચારિત્ર લેવાનું મન આપણને ન થાય તો સમજવું : પુણ્યની મોટી ખામી છે. ગોપાળભાઈને આ વાત, પૂ. જીતવિજયજી મ.ના સંપર્કથી બરાબર સમાયેલી હતી. * મહેસાણામાં અભ્યાસ પછી દીક્ષાની ભાવનાપૂર્વક સામખીયારી, મનફરા, આધોઈ ઈત્યાદિ સ્થળોએ ધાર્મિક શિક્ષક તરીકે કામ કરીને ઓશવાળ સમાજને ધાર્મિક શિક્ષણ આપવાનું ભગીરથ કામ કર્યું. * માતાના એકના એક દીકરા હોવાથી દીક્ષા માટે જલ્દી રજા મળી નહિ. * પુત્ર પરથી મમત્વ હટાવી શાસનમાં મમત્વ લગાડે, તેવી માતાઓ ધન્ય છે. “મારા કુટુંબમાંથી એક રત્ન તો જૈન શાસનને મળવું જ જોઇએ.'' આવી ભાવનાવાળી માતાઓના કારણે આ વર્ષે અમને બે સાધુઓ મળ્યા. * લાકડીઆમાં બે ચાતુર્માસ કર્યા છે : સં. ૨૦૧૨, તથા ૨૦૨૮. પહેલું ચાતુર્માસ તો ખાસ ભણવાના [પૂ.પં.મુક્તિવિજયજી મ.પાસે ] ઇરાદે જ કરેલું. * ગોપાળભાઈનું સગપણ થયેલું હતું, પણ પછી વાગ્દત્તાને ચુંદડી ઓઢાડીને સગપણ ફોક કરેલું. પણ માની રજા હજુ મળી નહોતી. માતાના મંગળ આશીર્વાદ ૧૪૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy