SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ છે ? તારે કેટલા ગુણ જોઈએ છે, તે વાત કર. ભગવાન પોતાના ભક્તને કાયમ ભક્ત નથી રાખવા માંગતા, ભગવાન બનાવવા માંગે છે. * સામાયિકમાં રહેલા શેઠનું ધ્યાન જોડામાં હતું આથી નવોઢા પુત્રવધૂએ કહી દીધું : શેઠજી મોચીવાડે ગયા છે. આપણું મન હોય છે, ત્યાં આપણે હોઇએ છીએ. જો એ મનને અરિહંતમાં જોડી દઈએ તો અમુક અપેક્ષાએ અરિહંત બની જઇએ. આપણું ધ્યાન આખો દિવસ શરીરમાં જ પ્રાય: હોય છે. પણ આ શરીર તો ભાડાનું મકાન છે. એને અહીં જ છોડીને જવાનું છે. આપણું સ્વરૂપ તો ઉપયોગમય છે. જ્યાં જ્યાં ઉપયોગ ત્યાં ત્યાં આત્મા ! જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં ઉપયોગ ! ઉપયોગ અને આત્મા અભિન્ન છે, બન્નેની અભિન્ન વ્યાપ્તિ છે. જ્યાં ધૂમાડો હોય ત્યાં આગ હોય પણ આગ હોય ત્યાં ધૂમાડો ન પણ હોય, પણ અહીં એવું નથી, બન્ને એકબીજા વિના હોઇ જ ન શકે. સિદ્ધપદ * સંસારી જીવ બીજી ગતિમાં જાય છે ત્યારે કાર્પણ – તૈજસ શરીર સાથે હોય છે. કેદીને બીજી કેદમાં લઈ જવામાં આવે ત્યારે સાથે મજબૂત ચોકીદાર હોય ને ! તેમ અહીં પણ કાર્મણ-તૈજસ ચોકીદાર છે. જીવ ક્યાંય છટકે નહિ ! પણ જીવ જ્યારે મોક્ષમાં જાય ત્યારે સાથે કામણ-તૈજસ વગેરે કાંઈ જ હોતું નથી. શુદ્ધ આત્મા મોક્ષે પહોંચી જાય છે. સંસારની કેદમાંથી ત્યારે છૂટકારો થાય. ૧૪મા ગુણઠાણે પહોંચ્યા સિવાય કોઈ જીવ સિદ્ધિગતિએ જઈ ન શકે. ૧૪મું ગુણઠાણું એક લીફટ જ સમજી લો, જેના પર બેસનારો સીધો જ લોકાગ્રભાગે પહોંચી જાય. | * પૂર્વપ્રયોગ, ગતિપરિણામ, બંધન છેદ અને અસંગ આ ચાર ઉદાહરણો આત્મા લોકાગ્રભાગે શી રીતે પહોંચે છે ? તે સમજાવવા દર્શાવવામાં આવ્યા છે. ૧૩૦ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy