SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ નથી લાગતો. એનું આ જ કારણ છે. અહીં ભાવપ્રાણોની હિંસા નથી. કારણ કે અહીં આત્મગુણોની રક્ષા કરવાનો ઉદ્દેશ છે. જો આમ માનવામાં ન આવે તો સાધર્મિક ભક્તિ, પ્રવચન-શ્રવણ ઈત્યાદિ એક પણ કાર્ય થઈ શકશે નહિ. આત્મગુણ રક્ષણા તેહ ધર્મ, સ્વગુણ-વિધ્વંસના તેહ અધર્મ, ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ, તેહથી હોય સંસાર-છિત્તિ ૧૭ . બીજાના દ્રવ્ય પ્રાણોની જેમ ભાવ પ્રાણોની પણ રક્ષા કરવાની છે. એને ગુસ્સો ન આવે, વગેરેની પણ કાળજી રાખવાની છે, એવું આપણે સમજ્યા છીએ ખરા ? આમ ભાવ અધ્યાત્મ અનુસારી પ્રવૃત્તિ શરૂ થાય ત્યારે જ સંસારનો છેદ શરૂ થાય. દ્રવ્યથી ગુરુ-નિશ્રા મળી હોય તે નહિ, પણ ગુરુમાં ભગવદ્ બુદ્ધિ, તારક બુદ્ધિ પેદા થઈ તે યોગાવંચકપણું છે. આવો આત્મા પ્રભુની વાણી સાંભળે, સદહે અને આચરે. ૦ મેઘકુમારનો જીવ હાથીમાંથી આવેલો. પ્રથમ જ દેશનાથી કેમ વૈરાગ્ય આવ્યો ? પૂર્વભવમાં જે સસલાની નિષ્કામભાવે દયા કરેલી તેના પ્રભાવે. (૧) સંસાર પરિમિત કર્યો. (૨) મનુષ્ય જન્મ મેળવ્યો. (૩) તીર્થકર જેવા ગુરુ પ્રાપ્ત કર્યા. આ ત્રણ વસ્તુ તેણે મેળવી લીધી. એમ ઉપદેશ-પદમાં પૂ. હરિભદ્રસૂરિજીએ કહ્યું છે. આ અધ્યાત્માનુગત ક્રિયા કહેવાય. ૦ યથાપ્રવૃત્તિકરણને અવ્યક્ત સમાધિ કહી છે. અવ્યક્ત એટલા માટે કે હજુ સમ્યક્ત નથી મળ્યું. » ગુણોની પ્રાપ્તિ હંમેશ ગુણોની અનુમોદના અને રુચિ દ્વારા જ થાય. એ પહેલા ગુણો બારણે જ ન આવે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * = = = * * * * * * * * * ૫૩૯
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy