SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૩૮, ૩૯, ૪૦ : ભગવાનની ભક્તિ છોડીને બીજે ક્યાંયથી જીવનના વિઘ્નો દૂર ન જ થાય, એવી અવિહડ શ્રદ્ધા હોવી જોઈએ. ગાથા ૪૧, ૪૨ : ઉદ્ભૂત... ગાથાથી પૂ. પં. ભદ્રકવિ. યાદ આવે. લુણાવામાં કહેતા : વ્યાધિ ઘણી છે. ૧૦૮ વાર ઉદ્દભૂત. ગાથા ગણો. ગણવાથી શાંતિ થતી. પ્રભુ ચરણ - રજનો અંશ પણ પડે તો રોગ જાય જ. આથી ફલિત થાય છે કે શરીર માંદું નથી પડતું, મન માંદું પડે છે. કેન્સરના દર્દી પણ ૧૦૮ વાર આ ગાથા ગણતાં સાતા અનુભવે છે. ગાથા ૪૪ : બેડી : બધું બંધાયેલું છે, પણ મારું મસ્તક ખુલ્લું છે. જ્યાં સુધી મારું મસ્તક મુક્ત છે, ત્યાં સુધી મુક્તિનો માર્ગ ખુલ્લો છે. આપણા જીવનમાં ભગવાન જ છે કે ભગવાન પણ છે ? આપણા જીવનમાં ભગવાન જ છે, એવું થશે ત્યારે જ દોષો, દરિદ્રતા ઈત્યાદિ જશે. ભક્ત ભગવાનથી વિભક્ત બને ત્યારે જ દોષો હોઈ શકે. નહિ તો ભગવાનમાં ન હોય તે દોષો ભક્તમાં ક્યાંથી આવે ? ગાથા ૪૩, ૪૪ : પૂજ્યશ્રી : પહેલા ગુણોનું પછી નામના પ્રભાવનું વર્ણન આવ્યું. છેલ્લે ઉપદ્રવો ટાળવાના પ્રભાવનું વર્ણન આવ્યું. રાગરૂપી સિંહ, દ્વેષરૂપી હાથી, ક્રોધરૂપી દાવાનળ, કામરૂપી સંગ્રામ, લોભરૂપી સમુદ્ર, મોહરૂપી જલોદર, કર્મબંધનરૂપ બેડી - આ બધું પ્રભુ-નામના પ્રભાવથી ટળે છે. એ પોતે જ ભગવાન જોઈને ભય પામીને ભાગી જાય; જેમ સિંહને જોઈને હાથી ભાગે. પ્રભુની આ સ્તુતિ - માળા જે કંઠમાં ધારણ કરશે તે કેવળજ્ઞાન - લક્ષ્મી મેળવશે, એમ માનતુંગસૂરિજી કહે છે. પર૦ ૪ * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy