SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ પડી જતી કે મને મળવા લોકો ટોળે મળ્યા છે, તો તેઓ તરત જ ભાગી જતા. ૦ તપથી કર્મોના આવરણ ખસે. આવરણ ખસે તેમ આત્મ-શુદ્ધિ વધે. વધતી જતી સમતા અને પ્રસન્નતા અંદર થતી આત્મ-શુદ્ધિની સૂચના છે. • ગાથા ગોખી એટલે જ્ઞાનાવરણીય કર્મ ખસ્યું અને ગાથા આવડી. પુનરાવર્તન કરવાનું છોડ્યું તો ગાથા ગઈ. જ્ઞાનાવરણીય કર્મ લાગી ગયું. કારણ કે જ્ઞાનાવરણીય કર્મ સતત ચાલુ જ છે. જે વાત ગાથા માટે સાચી છે, એ જ વાત સમતા, સંતોષ, સરળતા ઈત્યાદિ ગુણો માટે પણ સાચી છે. જો આપણે એ માટે દરકાર ન કરી તો એ ગુણો ગયા. મૂડી ન સાચવો તો જતાં વાર કેટલી ? કમાવામાં મહેનત પડે તેમ તેની સુરક્ષામાં પણ ઓછી મહેનત નથી. પ્રગટેલું સમ્યક્ત ટકાવી રાખીએ તો એ કદી દુર્ગતિમાં ન જ જવા દે. ભલે ૬૬ સાગરોપમ તમે સંસારમાં રહો, પણ સમ્યગ્દર્શન કદી દુર્ગતિમાં ન જ જવા દે, ૬ ૬ સાગરોપમ પછી ક્ષાયોપથમિક સભ્યત્વે ક્ષાયિક બની જાય, મોક્ષપ્રદ જ બને. કુમા૨પાળ મહારાજા, શ્રેણિક રાજા જેવા તો માત્ર ૮૪ હજાર વર્ષોની અંદર મોક્ષે જવાના. ૦ ઈચ્છારીધન તપ નમો. તપને ઓળખવો શી રીતે ? ઈચ્છાનો નિરોધ કરવો તે જ તપ ! તપની આ સંક્ષિપ્ત વ્યાખ્યા સદા યાદ રાખવી. ઉપવાસ કર્યો, પણ આખી રાત દૂધ – રાબડી યાદ આવ્યા તો દ્રવ્ય ઉપવાસ તો થયો, પણ ઈચ્છારોધ ન થયો. અનશનાદિ બાહ્ય તપોમાં બાહ્ય ઈચ્છાઓનો નિરોધ છે. આત્યંતર તપમાં અંદરની ઈચ્છાઓનો નિરોધ છે. અનશનમાં - ખાવાની ઈચ્છાનો. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૪૫૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy