SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય પ્રતિભાસ જ્ઞાન, અજ્ઞાન જ કહેવાય. જે જ્ઞાન દ્વારા દોષની નિવૃત્તિ અને ગુણોની પ્રાપ્તિ ન થાય તેને જ્ઞાન શી રીતે કહી શકાય ? સ્વભાવ નામ - સંવાર - રપ જ્ઞાનમિળે' આવેશ, અજ્ઞાન, જડતા, ક્રોધ આદિથી નિવૃત્ત ન બનીએ તો એ જ્ઞાન, જ્ઞાનીઓની નજરે જ્ઞાન જ નથી. જ્ઞાનનું ફળ વિરતિ છે, ચારિત્ર છે. એ ન મળે તો જ્ઞાન શા કામનું ? નફો ન મળે તે દુકાન શા કામની ? ફળ ન મળે તે વૃક્ષ શા કામનું ? • બધી ક્રિયાનું મૂળ ભલે શ્રદ્ધા હોય, પણ શ્રદ્ધાનું મૂળ પણ જ્ઞાન છે, એ ભૂલવા જેવું નથી. - રુચિ અને જિજ્ઞાસા પ્રમાણે જ જ્ઞાન મળી શકે. વિનય પ્રમાણે જ જ્ઞાન ફળી શકે. - પાંચ જ્ઞાનમાં અભ્યાસ-સાધ્ય જ્ઞાન કેવળ શ્રુતજ્ઞાન છે. તે સ્વપર પ્રકાશક હોવાથી ત્રણેય જગતને ઉપકારી બને છે. દીપકની જેમ તે સ્વ-પર પ્રકાશક છે. તમારા આંગણે રહેલો દીવો તમને જ કામ લાગે, એવું નથી, આવતા-જતા સૌને કામ લાગે. જ્ઞાન પણ દીવો છે. દીવો જ નહિ, જ્ઞાન સૂર્ય, ચન્દ્ર અને મેઘ પણ છે. નળમાંથી પાણી લો છો, પણ બીલ ભરવું પડે. લાઈટ વાપરો પણ બીલ ભરવું પડે; પણ વાદળ વરસાદ વરસાવે, સૂર્ય-ચન્દ્ર પ્રકાશ આપે, પણ કોઈ બીલ નહિ, બધું જ મફત ! - જ્ઞાન પણ સૂર્ય - ચન્દ્ર – મેઘ જેવું છે. કોઈ બીલ નહિ, કોઈ ખર્ચ નહિ. દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જિમ-રવિ-શશિ મેહ.” - પાંચ ઈન્દ્રિયોથી સીમિત જ જાણકારી મળે, પણ શ્રુતજ્ઞાનથી તમે અહીં બેઠા-બેઠા અખિલ બ્રહ્માંડને જાણી શકો. શંત્રાજય પર રહીને તમે ઊભા-ઊભા પાલીતાણા, કદંબગિરિ, ઘેટી, નોંઘણવદર વગેરે કેટલા ગામોને જોઈ શકો ? ૪૪૬ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy