SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ તેનો સ્વાદ માણવો અલગ ચીજ છે. સામાયિક જાણવું અલગ વાત છે. સામાયિક માણવું અલગ વાત છે. પુદ્ગલોનો ભવોભવનો અનુભવ છે. ગાઢ સંસ્કાર હોવાના કારણે આપણે તરત જ પુદ્ગલો તરફ ખેંચાઈ જઈએ છીએ. જ્યારે સામાયિકના સંસ્કાર હવે પાડવાના છે. - જ્ઞાનસાર અદ્દભુત ગ્રંથ છે. તમે એનું ચિંતનનિદિધ્યાસન કરતા રહેશો તેમ તેમ આત્મતત્ત્વનું અમૃત પામતા જશો. તેમણે જીવનમાં સાધના કરીને જે અર્ક મેળવ્યો તે બધો જ જ્ઞાનસારમાં ઠાલવ્યો છે. - કેટલાક ધ્યાની આવશ્યક ક્રિયાઓને ધ્યાનમાં બાધક માને છે. ખરેખર તો આવશ્યક ક્રિયાઓ ધ્યાનની બાધક નથી, પણ સાધક છે. જ વરસાદ બધે જ પડે. પણ તેથી શેરડીમાં મીઠાશ, બાવળીયામાં કાંટા, રણમાં મીઠું અને સાપમાં ઝેર જ વધે, તેમ જિન-વાણી પણ પાત્રતા મુજબ અલગ-અલગ પરિણામ પામે છે. સાંભળનારમાં કોઈ ગોશાળો હોય તો કોઈ ગૌતમસ્વામી હોય. ૦ સવારે તપ કયો ધારવો ? સાધનામાં સહાયક બને તેવો તપ અશઠભાવે સ્વીકારવો. સેવાની જરૂર હોય ત્યારે અઠ્ઠાઈ લઈને બેસી ન શકાય. આમ કરે તે ગુનેગાર બને. તપ ગૌણ છે. ગુરુ-આજ્ઞા મુખ્ય છે. ગુરુની આજ્ઞા પ્રમાણે કરાતો તપ જ નિર્જરાત્મક બની શકે, મારે માત્ર સેવા જ કરાવની ? પાણીના ઘડા જ લાવવાના ? તો પછી આરાધના ક્યારે કરવાની ? એવું નહિ વિચારતા. પાણીના ઘડા લાવવા એ પણ આરાધના છે. સેવાથી આરાધના અલગ નથી. સેવા આરાધનાનો જ એક ભાગ છે. દસ વર્ષ પૂ. દેવેન્દ્રસૂરિજી સાથે રહ્યો. નવો અભ્યાસ બંધ રહ્યો, પણ સેવાનો લાભ સારો મળ્યો. ૩૯૮ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy