SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણ-પર્યાયનો ખજાનો છે. ૧લી માતા પ્રીતિ યોગ આપે. ભક્તિ યોગ આપે. બીજી માતા ત્રીજી માતા - વચન યોગ આપે. વચન એટલે આજ્ઞાપાલન. ચોથી માતા અસંગ યોગ આપે. અસંગ એટલે સમાધિ. मुक्तिं गतोपीश ! विशुद्धचित्ते । गुणाधिरोपेण ममासि साक्षात् ॥ भानुर्दवीयानपि दर्पणेंऽशु सङ्गान्न किं द्योतयते गृहान्तः ? ॥ મુક્તિ ગયો તોય વિશુદ્ધિચિત્તે, ગુણોવડે તું અહિંયા જ ભાસે; હો સૂર્ય દૂરે પણ આરિસામાં, આવી અને શું ઘર ના પ્રકાશે ? ૩૬૦ ‘પ્રભુ ! આપ મોક્ષમાં ગયા છો, છતાં ગુણના આરોપથી મારા વિશુદ્ધ ચિત્તમાં સાક્ષાત્ બિરાજી રહ્યા છો. દૂર રહેલો પણ સૂર્ય દર્પણમાં સંક્રાન્ત થઈને શું ઘર અજવાળતો નથી ?’ આ કુમારપાળની પ્રાર્થના છે. આટ-આટલું સામે હોવા છતાં ભગવાન આપણને કેમ દૂર લાગે છે ? ગુપ્તમાં ગુપ્ત વાત, વેપારનું રહસ્ય, વેપા૨ી ભલે બીજા કોઈને ન આપે, પણ પોતાના વિનીત પુત્રને તો જરૂર આપે જ. આપણે પ્રભુના વિનીત પુત્ર થઈ જઈએ તો ? આજ્ઞાપાલક થઈ જઈએ તો ? ભગવાનના ખજાનાના માલીક ન બની શકીએ ? ‘અધ્યાતમ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે; વિમલ વિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે.’ ભગવાન સૂર્ય બનીને હૃદયમંદિરમાં પધારે છે, ત્યારે આવા ઉદ્ગારો નીકળી શકે. કર્મ-વિવર એ જ બારી છે, ત્યાંથી જ પરમનું અજવાળું આપણા ઘટમાં આવી શકે છે. કઠોરતા હોય ત્યાં સુધી ચિત્ત વિશુદ્ધ નહિ બને. જે કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy