SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ લાગે, પચ્ચખાણનો આ પ્રભાવ છે. બાહ્યતા આત્યંત૨ તપનો હેતુ છે. ગાઢ અભ્યાસથી પાડેલા તપના સંસ્કારો જન્મજન્માંતરોમાં પણ સાથે ચાલે છે. તપના જ નહિ, કોઈ પણ ગુણ કે અવગુણના સંસ્કારો સાથે ચાલે. - પાંચ પરમેષ્ઠી કરુણાના ભંડાર છે. કરુણા પરાકાષ્ઠાએ ન પહોચે તો ભગવાન તીર્થકર નામકર્મ બાંધી શકે નહિ. દુઃખી જીવોની દયાનો અભાવ હોય ત્યાં કરુણા હોઈ શકે ? કરુણાÁ ચિત્ત, દુઃખત્રસ્ત જીવની ઉપેક્ષા કરી શકે નહિ, ઉપેક્ષા કરે તેનામાં કરુણા આવી ન કહેવાય, ધ્યાન પરિણમ્યું ન કહેવાય. | નવકાર આત્મસાત્ કરવાથી કરુણા વધવાની, ગુણો વધવાના, દેવ-ગુરુ ભક્તિ વધવાની. - બીજાના ગુણોને જોઈને તમે રાજી થયા, એટલે એ ગુણો તમારામાં આવવા શરુ થયા એમ માનજો. અત્યારે આપણને પોતાના ગુણો માટે પ્રમોદ છે. બીજાના ગુણ માટે પ્રમોદ ખરો ? ગુણો કેમ રોકાયેલા છે ? અભિમાનના કારણે. બીજી માતા નમ્રતાનો સંચાર કરી ગુણોના દ્વાર ખોલી આપે છે. | નવકારમાં છ વાર નમો આવે છે. ૧૦૮ નવકારમાં ૬૪૮ વાર નમો આવે છે. તમે કેટલી માળા ગણી ? હવે નમ્રતા કેટલી વધી ? નવકાર ગણ્યા પછી નમ્રતા વધવી જોઈએ. નમ્ર જ ભક્ત બની શકે, નમ્ર જ પ્રમોદ કેળવી શકે, નમ્ર જ ગુણોને આમંત્રણ આપી શકે. ૦ લોકોની ભાષા અલગ, ભક્તની અલગ ! લોકો કહે છે : ભગવાન વીતરાગ છે, ભગવાનને કાંઈ લેવા-દેવા નથી. ભક્ત કહે છે : ભગવાન કરુણાશીલ છે. ભગવાન બધું કહે # # # # # # # # # # # # ૩પ૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy