SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ वढवाण (गुजरात) में पूज्यश्री का प्रवेश, वि.सं. २०४७ સ્વયંભૂરમણ જેવો સમુદ્ર પણ નાનો પડે એટલી કરુણા ભગવાનના હૃદયમાં ભરેલી છે. તે ભવમાં જ નહિ, સમ્યક્ત્વથી પૂર્વના ભવોમાં પણ પરોપકાર બુદ્ધિ સહજ હોય છે. એમના સમ્યક્ત્વને વરબોધિ અને સમાધિને વરસમાધિ તરીકે શાસ્ત્રકારોએ ઓળખાવી છે. બીજા જીવો પોતાનો મોક્ષ સાધે, જ્યારે ભગવાન સ્વમોક્ષ સાથે અન્યોનો મોક્ષ પણ સાધી આપે. પોતે જ નહિ, બીજાને પણ જીતાડી આપે તે જ નેતા બની શકે. ભગવાન ઉચ્ચ નેતા છે. ‘નિખાનું નાવવાનું' છે. ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ, વિમધ્યમ, અધમ અને અધમાધમ આ છ પ્રકારમાં ઉત્તમોત્તમ તરીકે માત્ર તીર્થંકર ભગવાનને ગણ્યા છે. ૧૯૨ શ્રાવણ સુદ ૧ ૧ ૨૨-૦૮-૧૯૯૯, રવિવાર - અહીં ચુંટણી નથી. એ સ્વયં ગુણોથી બીનહરીફ ચુંટાઈ આવે છે; આપણે ધર્મકારી ખરા, પણ ધર્મદાતા નથી. ભગવાન ધર્મદાતા છે, બોધિ-દાતા છે. માટે જ ભગવાનને ધર્મે પોતાના નાયક બનાવ્યા છે. * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy