SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ એક દાંડો લેતાં જયણા ન કરી તો ૧૮ હજારમાંથી સીધા બે હજાર જાય. અજીવ સાથે પણ જયણાપૂર્વક વર્તવાનું છે. પૂ. દેવેન્દ્રસૂરિજીને અમે જોયા છે. સાંજ પડ્યે પોથી વગેરેને વીંટીને જયણાપૂર્વક મૂકી દેતા. - સાધુ આહારાદિ ૪ સંજ્ઞાનો વિજેતા હોય. સંજ્ઞા દ્વારા સંચાલિત પશુ હોય, સાધુ તો સંજ્ઞા પર નિયંત્રણ કેળવે. ૪ સંજ્ઞાથી ૧૦ને ગુણતાં ૧૦ x ૪ = ૪૦ 0 x ૫ ઈન્દ્રિય = ૨૦૦ ૨૦ x ૧૦ યતિધર્મ =૨૦૦૦ (એટલે મેં દાંડો નહિ પડિલેહતાં ૨OOી જાય એમ કહેલું) ૨૦ x ૩ યોગ = ૬૦૦૦ ૬0 x ૩ (કરણ, કરાવણ, અનુમોદન) = ૧૮ હજાર. આ ૧૮૦૦૦ શીલાંગ છે. ૧૮ હજાર શીલાંગ માટે બીજી પણ અનેક રીતો છે. • તમે બીજાને અભયદાન આપો તો તમે સ્વયં નિર્ભય બનો જ. પાલીતાણામાં કુંદકુંદવિજયજીએ કાલગ્રહણ લેવા હાથમાં મોરપીંછ લેતાં છૂપાયેલો સાપ ભાગ્યો. આજ્ઞાની પાછળના આ રહસ્યો છે. આપણે આહારી, પ્રભુ અણાહારી છે. તપ કરતાં આપણે પ્રભુ સાથે સંબંધ બાંધીએ છીએ. આથી જ ઉપવાસના દિવસે મન તરત ચોટે છે. કારણ કે, ચિત્ત નિર્મળ હોય છે. તપ સાથે જપ કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે છે. - ભક્તિ : દૂર રહેલા ભગવાનને હૃદયમાં ધારણ કરવાની કળા તે ભક્તિ. ભગવાન ગમે તેટલા સમર્થ હોય, પણ છેવટે ભક્તિને આધીન છે. | સર્વ જીવો પર ભગવાનની અનંત કરુણા વહી રહી છે. એમણે આપણી સાથે છેડો ફાડી નાખ્યો નથી. ફાડે પણ શી ૧૪૪ ઝ * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy