SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાહ અધિકારીઓને આ દરખાસ્ત પણ મોળી લાગી. તેઓ હવે વધુ ને વધુ લાભ મળે તેવી તક ઊભી કરવા લાગ્યા. આવી એક તક એમને સુરતના નવાબ તરફથી ઈ. સ. ૧૭૭૧ માં મળી હતી. : ૩. ભરૂચ લીધું સુરતના નવાબે મુંબઈના ગવર્નર અને પ્રમુખ વિલિયમ હર્ન બાયને ૧૭૭૧ ના માર્ચમાં લખ્યું કે મુઘલેના દેઢસો વર્ષના અમલ દરમ્યાન મુઘલ બાદશાહએ ભરૂચમાં ફુરજા(જકાતનાકા)ની જકાતની આવક સુરતના નવાબ (સૂબેદાર)ને આપી હતી અને આ હક્ક આજથી ૪૦ વર્ષ પહેલાં સુધી અબાધિતપણે સુરતના નવાબે ભોગવતા હતા, પણ ભરૂચને નવાબ સ્વતંત્ર થતાં એણે આ જકાત આપવી બંધ કરી છે તેથી આ જકાતની વાર્ષિક ઊપજ રૂ. ૭૦,૦૦૦ લેખે ગણતાં આ બાકી લેણું નીકળતી રકમને આંકડે રૂ. ૨૮ લાખ સુધી પહોંચી ગયો છે, આથી ભરૂચને નવાબ આ રકમ ચૂકવી આપે એ માટે કંપની સરકારે એને ફરજ પાડવી જોઈએ. નવાબની આ માગણીની સાથે કંપનીએ પણ પિતાની એક બાબત જેડી દીધી. કંપનીના રક્ષણ નીચે ભરૂચથી વેપાર કરતા વેપારીઓના માલ પર કંપની શરૂઆતમાં ૧ ટકા અને પછી ૨ ટકા જકાત લેતી હતી, અને કંપની વતી ભરૂચના નવાબે આ રકમ ઉઘરાવી કંપનીને આપવાની હતી. આની છ વર્ષથી બાકી નીકળતી રકમને આંકડે દોઢ લાખ રૂપિયા સુધી પહેમે હતા, આથી ભરૂચના નવાબ પાસેથી એકંદરે રૂ. ૩૦ લાખ કઢાવવાની અંગ્રેજોને તક સાંપડી. સુરતના નવાબે અંગ્રેજો સાથે સંધિ કરી કે ભરૂચ પાસેથી જે કંઈ ચડત રકમ પ્રાપ્ત થાય તેને હું ભાગ હું અંગ્રેજોને આપીશ અને વસૂલાત માટે થનારા ખર્ચમાં ત્રીજા ભાગને ખર્ચ પણ આપીશ.૧૦ ભરૂચને નવાબ મુઆઝિઝખાન આ વખતે વડોદરાના ફતેસિંહરાવ, ખંભાતના નવાબ મેમીનખાન અને સુરતને અંગ્રેજ હાકેમની ભીંસ અનુભવી રહ્યો હતે. આવી સ્થિતિમાં અંગ્રેજોએ સુરતના નવાબની માગણીના વાજબીપણાની ખાતરી કર્યા વિના શક્ય તેટલી રકમ ભરૂચના નવાબ પાસેથી પડાવવા ભરૂચ પર આક્રમણ કર્યું. (માર્ચ ૧૭૭૧), પરંતુ આ આક્રમણ નિષ્ફળ ગયું.૧૧ આ વખતે નવાબનું પલ્લું નમતું હોવા છતાં એણે મુંબઈ જઈ અંગ્રેજો સાથે સમાધાન કરી લેવાનું નક્કી કર્યું. એ મુંબઈ પહેલે (૪-૧૧-૧૭૭૧) ત્યારે એનું અંગ્રેજોએ ભારે દબદબાપૂર્વક સ્વાગત કર્યું. એમની વચ્ચે સંધિ થઈ (૩૦-૧૧-૧૭૭૧) તેમાં નવાબે અંગ્રેજોને ચાર લાખ રૂપિયા અને ભરૂચમાં કાઠી સ્થાપવા માટેની જગ્યા આપવાનું કર્યું. જ્યારે નવાબ પર કઈ બાહ્ય આક્રમણ થાય તે અંગ્રેજોએ એને
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy