SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક સ્થિતિ લેતી નવી કેળવણીએ પ્રણાલીગત સમાજવ્યવસ્થા તથા એનાં મૂલ્યોને આંચકે આપે. ધર્મને નામે ફેલાયેલાં અનિષ્ટો વહેમ વગેરેને સ્થાને વૈજ્ઞાનિક દ્રષ્ટિ અપનાવવાનો આગ્રહ નવા શિક્ષિત વર્ગ રાખ્યો. પરિણામે ગુજરાતમાં નવા ધર્મસુધારાનું આંદોલન શરૂ થયું. માનવધર્મસભા અને દુર્ગારામ મહેતા મુંબઈ પશ્ચિમ હિંદનું રાજકીય વહીવટી વેપારી તથા શૈક્ષણિક કેન્દ્ર હેવાથી ગુજરાત સ્વાભાવિક રીતે મુંબઈના સાંસ્કૃતિક વર્તુળમાં આપું. ૧૯ મી સદી દરમ્યાન ગુજરાતના પ્રથમ ધર્મસુધારક તરીકે વિખ્યાત થયેલા નાગર દુર્ગારામ મંછારામ મહેતાજીએ (ઈ.સ. ૧૮૦૯-૧૮૭૬) લગભગ દોઢેક વર્ષ સુધી મુંબઈમાં નેટિવ એજ્યુકેશન સોસાયટી દ્વારા શરૂ થયેલ નર્મલ કલાસમાં તાલીમ લઈને સુરતમાં ઈ.સ. ૧૮૨૬માં સ્થપાયેલ સરકારી ગુજરાતી શાળામાં શિક્ષક તરીકે કામ કરવાની શરૂઆત કરી. મુંબઈના વસવાટ દરમ્યાન દુર્ગારામ પર નવા વિચારોની ઊંડી અસર પડી હતી. શરૂઆતમાં એમણે સુરતમાં વિધવાવિવાહની તરફેણમાં ઝુંબેશ શરૂ કરી, પરંતુ ઈ.સ. ૧૮૩૮માં એમની પ્રથમ પત્નીના અવસાન પછી પોતે જ વિધવા સાથે લગ્ન કરવા તૈયાર નહતા. બીજી વારનાં લગ્ન વખતે એમને વિધવાવિવાહની તરફેણમાં જાહેરમાં વિચારો વ્યક્ત ન કરવાની એમનાં સાસુ-સસરાએ ફરજ પાડી, જોકે વિધવાવિવાહ અંગેના એમના પિતાના વિચારોમાંથી કંઈ ફેર નહેતે પડયો. હવે દુર્ગારામે ધર્મ સુધારણાના આંદોલન પ્રત્યે પિતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. દુર્ગારામે સંસ્કૃતને અભ્યાસ કરેલ હોવાથી તેઓ ઉપનિષદ ગીતા પુરાણ વગેરેને સારી રીતે સમજતા થયા. ઈ.સ. ૧૮૪ર માં એ સુરતમાં સ્થપાયેલ પ્રથમ સરકારી અંગ્રેજી શાળાના મુખ્ય શિક્ષક દાદોબા પાંડુરંગને સંપર્કમાં આવ્યા. દુર્ગારામે અંગ્રેજી શિક્ષણ લીધેલું ન હોવા છતાં એમના ધર્મ અંગેના ક્રાંતિકારી વિચારોથી દાદબા ખૂબ પ્રભાવિત થયા. આ “વખતે સુરતમાં સુધારાની પ્રવૃત્તિમાં પાંચ દા'–દાદાબા, દુર્ગારામ, દલપતરામ માસ્તર, દામોદરદાસ અને દિનમણિશંકર શાસ્ત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતે; જેકે આ પ્રવૃત્તિને મોખરે તે દુર્ગારામ અને દાદાબા જ હતા.૫ આ સમયે લેકે ધર્મ અંગે વિચિત્ર ખ્યાલ ધરાવતા હતા. એમણે એમ જ માની લીધું કે વસંત-પંચમી(૪થી ફેબ્રુઆરી, ૧૮૪૩)ને દિવસે દુનિયાને અંત આવવાને છે. દુર્ગારામે આવા પ્રકારનાં વહેમ અને બીકની ખૂબ ટીકા કરી. લેકેને ધર્મનું શુદ્ધ સ્વરૂપ સમજાવવા માટે દુર્ગારામ તથા એમના સાથીઓએ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy