SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ કેળવણી સામાન્ય રીતે બ્રાહ્મણને પુત્ર ઉંમર-લાયક થાય ત્યારે એ આનિકનું શિક્ષણ ઘેર મેળવતા. ઉપનયનના સંસ્કાર બાદ એ ગુરુ પાસે રહીને વ્યાકરણ કાવ્ય ન્યાય વેદાંત જ્યાતિષ વગેરે વિષયાના અભ્યાસ કરતા.૧૨ કરસ એ વખતના અભ્યાસક્રમ સામાન્ય રીતે ત્રણ ચાર વર્ષના હતા. વિદ્યાર્થીના ઉત્સાહ ને સમય ઉપર તલસ્પશી અભ્યાસ આધાર રાખતા ને પ્રત્યેક વિદ્યાથીની શક્તિ પ્રમાણે જ ગુરુએ વિવેક વાપરી એમને રુચતું ને જરૂરી જ્ઞાન આપતા. વધુ મહત્ત્વાકાંક્ષી શિષ્યને તા કાશી જવું પડતું. ગુજરાતમાં સંસ્કૃત વિદ્યાનું શિક્ષણુ અમુક હદ સુધીનું મર્યાદિત પ્રમાણમાં અપાતું. શરૂઆત શબ્દરૂપાવલી ધાતુરૂપાવલી અને સમાસચક્રથી થતી, જેના પછી ‘અમરકાશ’ મુખપાઠ કરાવવામાં આવતા અને છંદ માટે ‘શ્રુતખેાધ' ભણાવાતા. એ પછી પાઠય-પુસ્તામાં સારસ્વત વ્યાકરણ મુખ્ય ગણાતું ને કૌમુદી'ને અભ્યાસ વડેાદરા જેવાં મેટાં શહેરામાં થતા. પાતંજલ મહાભાષ્ય' જેવા ભારે ટીકાત્રથા કાશીમાં જ શીખવાતા. વેદાંતમાં વેદાંતસાર વેદાંતપરિભાષા પ`ચદશી શાંકરભાષ્ય શ્રીભાષ્ય વગેરે વડાદરામાં ભણાવાતાં. અલંકારશાસ્ત્રમાં સાહિત્યદર્પણુ કાવ્યપ્રકાશ કાવ્યપ્રદીપ ને રસગંગાધર મુખ્ય હતાં. ચંદ્રાકી જાતકચંદ્રિકા પ્રહલાધવ કેશવી અને સિદ્ધાંતશિરોમણિ એ યેતિષશાસ્ત્રનાં મુખ્ય પાર્ટ-પુસ્તક હતાં. આયુર્વેદના અધ્યયનમાં ચરક શ્રુત ને શાગધરના ગ્રંથ અગ્રસ્થાન ભાગવતા, કાવ્યના અભ્યાસમાં મેધદૂત રઘુવંશ અને કુમારસંભવ ‘લઘુત્રયી' ગણાતાં, ને કિરાતાર્જુનીય શિશુપાલવધ તે નૈષધચરિત્ર એ ‘બૃહત્ત્રયી’ મનાતાં. નાટકામાં અભિજ્ઞાન–શાકુન્તલ ઉત્તરરામચરિત વેણીસંહાર અનરાધવ પ્રસન્નરાધવ તથા ગદ્યમાં કાદંબરી વાસવદત્તા ભારતચંપૂ વગેરે પરિચય કરાવવામાં આવતા. મનુસ્મૃતિ મિતાક્ષરીપારાશરસ્મૃતિ ને વ્યવહાર–મયૂખના અભ્યાસથી સ્મૃતિસાહિત્યમાં પ્રવેશ થતા. તસંગ્રહ ન્યાયખેાધિની જાગદીશો માથુરી પંચલક્ષણી ચતુર્દશલક્ષણો અને ગદાધરી એ ન્યાયશાસ્ત્રના માસ્તંભ હતા. છંદઃશાસ્ત્રના વધુ જ્ઞાન માટે વૃત્તરત્નાકર છ દામંજરી પિ ́ગળસૂત્ર વગેરે પાઠય-પુસ્તા તરીકે વપરાતાં. પાતંજલ-યાગદર્શીન સાંખ્યતત્ત્વકૌમુદી ને સાંખ્યસૂત્ર એ સાંખ્યયોગના અભ્યાસમાં મુખ્ય હતાં. વિશેષમાં વૈદની સંહિતા બ્રાહ્મણેા સૂત્રો આરણ્યા ને ઉપનિષદા પણુ સંસ્કૃત વિદ્યામાં મહત્ત્વનું સ્થાન ભાગવતાં. આ ઉપરાંત યજ્ઞયાગાદિના સસ્કાર–સાહિત્યમાં ઋગ્વેદનાં સસ્કાર કૌસ્તુભ તે નારાયણુભટ્ટી, યજુવેદનાં ઋષિભટ્ટી અને પ્રયાગ ણુ, સામવેદનું પ્રયાગચિંતામણિ ને અથવ વેદનુ પ્રયોગભાનુ આવશ્યક ગ્ર ંથેા હતા. શ્રૌતકમ માં પાતપોતાના વૈદના શ્રોતસૂત્રના આધારે લખાયેલા પ્રયોગમ થ વપરાતા ને દ પૂર્ણિમાયિાત્ર
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy