SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ વ ભરૂચ બ્રિટિશ કાલા ભરૂચના વેપાર મુખ્યત્વે કચ્છના માંડવી અને દક્ષિણમાં ઢાંકણુ અને મુંબઈ તથા સૌરાષ્ટ્રનાં બદા સાથે રહ્યો હતા. ભરૂચનું રૂ સુરત કે મુંબઈ જતું હતું. ભરૂચથી લાકડુ· સૌરાષ્ટ્રનાં ભાવનગર તળાજા મહુવા વેરાવળ માંગરાળ પોરબંદર વગેરે બદરીએ જતુ` હતુ`. ૧૮૧૫-૧૬ માં ભરૂચની આયાત-નિકાસ રૂ. ૨૬ લાખની હતી, જે પૈકી રૂ. ૧૪,૭૭,૮૦૦ ના માલની આયાત થઈ હતી, જ્યારે રૂ. ૧૧,૯૦, ૦૦૦ ના માલની નિકાસ થઈ હતી. આ પૈકી ૮ લાખ રૂ.ની રૂ ની જ નિકાસ હતી. ૧૮૩૭-૪૭ દરમ્યાન એને સરેરાશ વૈપાર રૂ. ૪૪,૯૧૭ જેટલા હતા. ૧૮૩૭– ૧૮૭૫ દરમ્યાન આ બંદરેથી મહુડાનાં ફૂલ અને ઘઉંની નિકાસ કરાઈ હતી, જ્યારે ગાળ ચોખા પાન ડેળાં વાંસ અને સાગની આયાત કરાઈ હતી. મુંબઈ અનાજ અને રૂ માકલાયેલ, ત્યાંથી લેખડ કાલસે દારડાં વગેરેની આયાત થઈ હતી. મલબારથી કાથી નાર્નાળયેર પાન મરી અને સુખડની આયાત કરાઈ હતી. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અનાજ કપાસિયા નળિયાં અને બળતણનું લાકડુ નિકાસ કરેલ, જ્યારે ત્યાંથી પથ્થરની આયાત થઈ હતી. કરાંચી સાથે ઉપર મુજબ વેપાર હતા. પ્રસંગાપાત્ત ઝ'ઝીબારથી સફેદ ખજૂરની આયાત કરાતી હતી. ભચ મહી અને નદા વચ્ચેના પ્રદેશ તથા રતલામ અને માળવા માટેના વેપારનું વિતરણ− કેંદ્ર હતું. રેલવે લાઇન ૧૮૬૧માં શરૂ થતાં ભરૂચને વેપાર ઘટયો હતા. ૧૮૭૪ માં એને વેપાર ફક્ત રૂ. ૨,૨૭,૪૦૯ ના હતા. સને ૧૯૦૩ માં ભરૂચના કુલ વેપાર રૂ. ૩૧ લાખનેા હતા. ૮૦-૧૦૦ ટનનાં વહાણ ભરૂચ સુધી આવી શકતાં હતાં. ધાઘા ઈ.સ. ૧૮૧૭ માં માલ ઉપર લેવાતી જકાત કાઢી નાખી ઘેઘા અને ધોલેરાનાં બંદરાને વિકસાવવા પ્રયત્ન થયા હતા. ગુજરાત અને કચ્છના માલ વીરમગામ થઈને ગાડા રસ્તે ધેાલેરા લાવવામાં આવતા હતા. વાઘા બંદરના વેપાર અફીણ, કાશ્મીરી શાલ અને રૂના હતા. કપડવંજ ને લુણાવાડાને રસ્તે માળવાનું અફીણુ ધેાધા થઈને ચીન જતું હતું. ૧૮૪૬ સુધીનાં પાંચ વરસેા દરમ્યાન રૂ. ૧૪ લાખની ૧,૪૦૦ પેટીની અફીણની નિકાસ ધેાધાથી થઈ હતી. રૂ. ૧૦ લાખની કાશ્મીરી શાલાની ૧૮૩૪-૧૮૪૬ દરમ્યાન નિકાસ થઈ હતી. એ પ્રમાણે ૧,૭૬૦ ટન રૂ ધાધાથી પરદેશ ગયું હતું. ધે:ઘાના બંદરે ૫૦-૨૫૦ ટનનાં વહાણુ બંધાતાં હતાં. ૧૮૬૦-૬૪ દરમ્યાન અમેરિકન આંતર-વિગ્રહને કારણે ધેાધાના વેપાર વધ્યા હતા. આંતર-વિગ્રહ બંધ થતાં આ વેપાર ઘટી ગયા હતા ને ભાવનગરના દરે
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy