SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ ] સુઘલ ફાલ [.. એના આ ધમ એના જીવન કાળ દરમ્યાન ઘણા નાના વર્તુળમાં ફેલાયે। અને એના મૃત્યુ પછી લુપ્ત થઈ ગયા. મઝહરને સ્વીકાર અને દીન-એ-ઇલાહીની સ્થાપનાને કારણે ધમચુસ્ત મુસલમાના એના પ્રત્યે નફરત કરતા થઈ ગયા. એમના મતે અકબર મક્કાર અને અધામિઁક હતા. વસ્તુત: અક્બરે કદી પણ ઇસ્લામના અનાદર કર્યો નથી કે સાચા મુસલમાન પર જુલ્મ ગુજાર્યાં નથા. એ પોતે મુસલમાન હતા અને ઇસ્લામ પ્રત્યે સંપૂર્ણ આદર ધરાવતા હતા. ઈ.સ. ૧૫૭૩ માં અમદાવાદમાં પ્રવેશ કરીને અકબરે સૌથી પ્રથમ કા ગુજરાતના સુલતાનાએ અરબસ્તાનની પવિત્ર મજારાને જે ગામડાં વક રૂપે આપ્યાં હતાં, તેને મજૂર કરવાનું કર્યું" હતું. 6 સામ્રાજ્યના એ સમયના સદ્દે સુદૂર, અદ્-ઉદ્-નબીએ સૈયદ હામીને આવાં આવાં વકફોને વ્યવસ્થાપક (અમીર) બનાવ્યા અને ' જવાલિહ એ મુઝફ્ક્રૂર ૧ લહુ'ના ભાવી લેખક હાજી ઉર્દૂ દખીરને માસિક ૨૦૦ મહમદીના પગારથી આવા વકફાનાં નાણાં અરબસ્તાનમાં એ પવિત્ર સ્થળામાં પહોંચાડવા માટે પસંદ કર્યાં. ઈ.સ. ૧૫૭૪ માં અન્ય વકફ-અમલદારા સાથે હાજી અબસ્તાન ગયા અને કાર્ય પૂરું કરી ઇ.સ. ૧૫૭૬ માં પાછા કર્યાં. અકબરનાં ઇસ્લામ પ્રત્યેનાં શ્રદ્ધા અને આદરને વ્યક્ત કરતા બીજો એક અતિ મહત્ત્વના પ્રસંગ આ પ્રમાણે છે : ઈ.સ. ૧૫૭૭ માં અકબરે ગુજરાતના એક સુપ્રસિદ્ધ સરદાર મીર અબૂ તુરાબને “મીરે હજ” તરીકે નિયુક્ત કરી, પોતાના દરબારીએ અને એગમાની એક ટુકડી સાથે કક્કા શરીફ્ની હજ માટે માકહ્યા. અરબસ્તાનનાં પવિત્ર સ્થળેામાં વહેંચવા માટે અકબરે અબૂ તુરાબને પાંચ લાખ રૂપિયા રાકડા અને એક હજાર ખિલઅંત (કિંમતી વસ્ત્રો) આપ્યાં હતાં. ઈ.સ. ૧૫૭૯ માં અબૂ તુરાબ હજ કરીને પાછા ફર્યાં અને પેાતાની સાથે કદમે રસૂલ'' એટલે કે પેગબર સાહેબનાં પવિત્ર પગલાં જેના પર અંકિત હતાં તેવા એક મેટા પથ્થર મક્કા શરીમાંથી લઈ આવ્યા. એ સુરત આવ્યા અને એક હાથી ઉપર ભારે દબદબાથી એ પથ્થરને તેહપુર સીક્રી મેળ્યે, અબરે કદમે રસૂલનું સંમાન કર્યું. એણે ૧૦૦ ફૂટ સુધી એ ભારે પથ્થરને પોતાના ખભા પર ઊઁચકથો અને ત્યાર પછી વજીરા અને સરદારાએ વારાફરતી એને ઊંચકીને ચાર માઈલ દૂરથી શહેર સુધી તેએ લાવ્યા અને અબૂ તુરાબના મકાનમાં એને રાખ્યા.૭૩
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy