SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ હું સુ* ] ભાષા અને સાહિત્ય [ ૨૮૭ (ઈ.સ. ૧૪૧૪-૧૪૮૦ અંદાજે)માં સારી રીતે સ્થિર થઈ ગયાં હતાં. સ ંખ્યાઅંધ હાથપ્રતા તે તે સમયની મળે છે, જેએમાં મધ્યકાલીન ભાષાભૂમિકાનાં ક્રમિક રૂપાની સાથેાસાથ લહિયાઓને હાથે સ્વાભાવિક અર્વાચીન ઉચ્ચરિતરૂપ અજાણતાં લખાઈ ગયાં હેાય છે. તે તે કવિએ પેાતાની રચના ગાઈ હોય તે તે તે રૂપ કેવું ઉચ્ચરિત થતું હશે એના અણુસાર આમાંથી મળી જાય છે. ૧ હાથપ્રતાની દૃષ્ટિએ જોવામાં આવે તે જૈન ધાટીના લહિયા લાંબા સમય સુધી મધ્યકાલીન ગુજરાતીની ક્રમિક ભૂમિકાઓને લેખનમાં સમાદર કરતા જોવા મળે છે, જ્યારે જૈનેતર ધાટીના લહિયા ઈ.સ. ૧૬૨૫ અને ૧૬૫૦ના ગાળાથી અર્વાચીન ભૂમિકામાં ભાષા-વરૂપ આપતા થઈ ગયા હોય છે, એવું પણ બન્યુ છે કે અર્વાચીન ભૂમિકાના સમર્થ સાહિત્યકારો અખા અને પ્રેમાન ની કાઈ કાઈ રચનાની નકલે અર્વાચીનને બદલે મધ્યકાક્ષીન ગુજરાતીની ચેાથી મિશ્રભૂમિકામાં પણ જોવા મળી છે. ૨ ૨. સાહિત્ય (અ) સંસ્કૃત-પ્રાકૃત આ સમયમાં બ્રાહ્મણેાએ ક્રિયાકાંડ અને જ્યાતિષનેા વ્યવસાય હાથ ધરી લીધા હતા. શ્રાદ્ધ કરાવવાં, લગ્ન કરાવવાં, મુદ્ભૂત કાઢી આપવાં તેમજ લગ્નકુંડલી અનુસાર ફળાદેશ કહેવા એ વ્યવસાય પછી તે વારસાગત બની ગયે।. થેાડાક વિદ્યાજવી બ્રાહ્મણુ સંસ્કૃત પાઠશાળા કે વ્યક્તિગત અધ્યાપન ઉપર આવિકા ચલાવતા. કેટલાક બ્રાહ્મણ વિદ્વાનેની જ્યાતિષ અને ક્રિયાકાંડ વિષયક રચનાઓ પણ ઉપલબ્ધ છે. જૈન મુનિએએ પ્રાચીન ગ્રંથકારોની પ્રણાલી ચાલુ રાખવા સાથે લેખન- ' પ્રકારમાં વૈવિધ્ય બતાવ્યું. વિજ્ઞપ્તિપુત્રા, સમસ્યાપૂર્તિ એ, અનેકા' કાવ્યા, અનેકસંધાન કાવ્યા, દેશી ઢાળેામાં સંસ્કૃત સ્તવનેા, ઔષધ–મત્રભિત સ્તંત્રો, અધ-પ્રાકૃત-અધ સ`સ્કૃત-અધ ગુજરાતી-અસંસ્કૃત-આમ અનેકવિધ રચનાઓ દ્વારા કૌશલ બતાવવામાં પાછી પાની કરી નથી. ખાસ તા એમણે જૈનેતર વિશિષ્ટ કાવ્યે। ઉપર ઉદાર મનથી ટીકાએ રચી છે તે ધ્યાનમાં લેવા જેવુ છે, રઘુવંશકાવ્ય ઉપર ૧૬, કુમારસંભવ કાવ્ય ઉપર ૧૩, મેટ્ઠત કાવ્ય ઉપર ૧૬, કિરાતાર્જુનીય કાવ્ય ઉપર ૩, શિશુપાલવધ કાવ્ય ઉપર ૨ અને નૈષધીયચરિતકાવ્ય ઉપર ૪ જૈનાચાર્યાંની ટીકાએ આજ સુધીમાં મળી આવી છે. એ સિવાય કાખરી વાસવદત્તા દમયંતી પૂખ પ્રશસ્તિ વગેરે અનેક કાવ્યા ઉપર જૈના
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy