SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ મુ] આર્થિક સ્થિતિ [૨૬ અમદાવાદ પાસેનું સરખેજ ગળીની પેદાશનું મોટું કેંદ્ર હતુ અને પરદેશી વેપારીઓને એમાં મોટો રસ હતો. ગળીમાં થતી ભેળસેળ સામે શાહજહાંના સૂબા આઝમખાને અતિશય કડક પગલાં લીધાં હતાં. આ ઉપરાંત સુરોખારને નિકાસ–વેપાર પણ બહુ મહત્વને હતા, કેમકે સુરોખારને ઉપયોગ બંદૂકને. દારૂ બનાવવામાં થતો અને યુરોપના દેશોમાં એની ઘણી માંગી હતી. એની મુખ્ય પેદાશ ગુજરાતમાં માલપુરમાં થતી. બિહારમાં સુરોખાર મળ્યા પછી અંગ્રેજ અને ડચ ડેડીઓ પટણમાં પણ સ્થપાઈ હતી, પરંતુ મુઘલ સત્તાએ સુરેખારની નિકાસ ઉપર અનેક અંકુશ મૂક્યા હતા અને પરદેશમાં મુસલમાને સામે લડવામાં એને ઉપયોગ ટાળવા માટે આ અંકુશ મૂક્યાનું જણાવાતું હતું. પણ વસ્તુતઃ આ અંકુશ કે પ્રતિબંધનું ખરું કારણ રાજ્યની સલામતી હતી. પરદેશી વેપારીઓ સુરેખાને જે જથ્થો મેળવી શકતા તેમાં તે રકમલદારોને લાંચ આપીને મેળવતા અથવા ભારતના જે પ્રદેશમાં મુઘલ સત્તા નહતી. ત્યાંથી મેળવતા.૧૦ મેન્ડેલે લખે છે કે અમદાવાદના વેપારીઓના આડતિયા એશિયાના બધા ભાગમાં અને કેન્ટીનેપલમાં રહેતા અને આથી પરદેશ ઉપરની ઠંડીઓ અહીં સહેલાઈથી મેળવી શકાતી. વળી એ જણાવે છે કે દારૂગોળો સીસું અને સુરોખાર સિવાય બીજા સવ માલને વેપાર કરવાની પરદેશીઓને છૂટ હતી, પણ આ ત્રણ ચીજોની નિકાસ સૂબેદારના પરવાના વિના થઈ શકતી નહિ. ૧૧ ગુજરાતનાં મુખ્ય નગરોના વેપારીઓની સમૃદ્ધિની કેટલીક ોંધપાત્ર વિગતે ઐતિહાસિક સાધનમાંથી મળે છે. સુરતના વેપારીઓ વતી હાજી મુહમ્મદ ઝહીદ બેગ અને વીરજી વોરાએ બળવાખોર શાહજાદા મુરાદને ઈ.સ. ૧૬૫૭ માં પાંચ લાખ રૂપિયા ધીર્યા હતા, જોકે આ ધિરાણ બળાત્કાર કરાયું જણાય છે. ૧૨ અમદાવાદના જાણતા ઝવેરી શાંતિદાસ ઝવેરીના પુત્રો પાસેથી મુરાદે સાડા પાંચ લાખ રૂપિયા લીધા હતા અને અમદાવાદના નાગરિકે પાસેથી એણે કુલ ૫૦ લાખ લીધા હોવાનું મનાય છે. ૩ શાંતિદાસ ઝવેરીના પુત્રોને એમના રકમ પરત કરવાનું ફરમાન થોડા સમય બાદ મુરાદે કહ્યું હતું, પણ એવી રકમ. ભરપાઈ થઈ હશે કે કેમ એ શંકાસ્પદ છે. કેટલાંક વર્ષ બાદ, અમદાવાદની પડતીના સમયમાં, ઈ.સ. ૧૭૨૫ માં શાંતિદાસ ઝવેરીના વંશજ નગરશેઠ ખુશાલ-- ચંદે પોતાની અંગત મિલકતમાંથી મેટી રકમ આપીને અમદાવાદને આક્રમણ કારાના પંજામાંથી બચાવ્યું હતું. અઢારમા સૈકાના આરંભમાં સુરતને સૌથી ધનિક વેપારી અને સમૃદ્ધ વહાણવટી અબ્દુલ ગફર નામે વેરો હતો; યુરોપિયન
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy