SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ] સુઘઉં ફાલ [.. શાખ મુસલમાને માટે વર્જ્ય છે, છતાં ખેારાકની સાથે શરાબ લેવાનુ સÖસામાન્ય હતુ. ધણા ગુજરાતી મુસ્લિમા શરાબ કરતાં અફીણને વધુ પસંદ કરતા. ભાજન પછી કાથે ચૂના અને સેપારીવાળું પાન ખાવાને। સામાન્ય શિરસ્તા હતા. શ્રીમતા અને અમીરાના પાનમાં કપૂર અને કસ્તૂરી નાખવામાં આવતી. સર ટામસ । લખે છે કે મુસ્લિમ અમીર-ઉમરાવા પેાતાના ભાજનમાં સામાન્ય રીતે ૨૦ વાનગીએ તૈયાર કરાવતા. ખાસ પ્રસગાએ ૫૦ વાનગી બનતી-—એ ઉપરાંત કુળ વધારામાં. મધ્યમ વર્ગના લાક બે વખત પેટ ભરીને ભાજન કરી શકતા. તેઓ એમના ભાજનમા શટલી પૂરી પરાઠાં શાક દૂધ દહીં ઘી માખણુ તેલ વગેરેના ઉપયેગ કરતા. તહેવારાના દિવસેામાં મેવા મીઠાઈ અને ફરસાણને ઉપયાગ થતા. ગરીબ લેકે દિવસમાં માત્ર એક વખત ભાજન લઈ શકતા. ખીચડી દહી અને અથાણું એમના રાજિ ંદા ખારાક હતા, ખીર એમનું મિષ્ટાન્ન ગણાતું. આ કાલ દરમ્યાન આવેલ બધા જ મુસાફરાએ ખીચડીના ઉલ્લેખ કર્યો છે. ખીચડીમાં થ ુંક મીઠું અને મળી શકે તે। સહેજ માખણ નાખીને તે ખાતા. શહેનશાહ જહાંગીર ખંભાત ગયા ત્યારે એણે ખીચડીના સ્વાદ માણ્યા હતા.૩૬ (૪) પોશાક શ્રીમત મુસલમાને અને અમીર ઉમરાવા પેાતાના પોશાક અંગે ખૂબ ચેાકસાઈ રાખતા, તે ખમીસ અને લેધો પહેરતા. એના ઉપર કુબા નામના (કાટ જેવા) પોશાક પહેરતા. ઠંડી મેાસમમાં તેએ ‘ડગલા' નામથી ઓળખાતા આવરકેટ પહેરતા. ધરમાં તે લેંઘાને બદલે ‘લૂંગી' પહેરતા. તેઓ કયારેક સલવાર કે પગે ચુસ્ત ચારણા પહેરતા. પોતાના પોશાક પાછળ તે ઘણે ખર્ચ કરતા. ઉલેમાઓ વિશિષ્ટ પ્રકારની પાધડી તેમ કખા અને પાયજામા પહેરતા મજૂરા કારીગરા અને ખેડૂતા માત્ર લંગાટી વાળતા, તેએ ઘૂંટણ સુધી પહોંચે તેવા સુતરાઉ કાપડના એક ટુકડા પોતાની કમરે વીંટાળતા, અખૂલ્ ક્રૂઝલ 'લ ંગાટા'નું વર્ણન કરતાં કહે છે કે એ શરીરના માત્ર બે ભાગને ઢાંકતું કમર પર પહેરવાનુ' ગ્રુપડુ છે.'
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy