SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬] સુઘલ કાલ [પ્ર. અભય વાતાવરણમાં ઘણાં વર્ષો સુધી મહત્ત્વને ભાગ ભજવ્યો. ૧૭૩૭ માં સિ ંહના નામ રતનસિંહ ભંડારીને હાંકી કાઢયા પછી એને ગુજરાતને સૂબેદાર નીમવામાં આવ્યેા હતેા. ગુજરાતમાં મરાઠાઓની દમનકારી પ્રવૃત્તિઓને મુધલેાના કાઈ રાજપૂત ખડિયા રાજા ડામી શકશે એવા ખ્યાલથી અભયસિંહને મૂક્મેદાર બનાવવામાં આવ્યા હતા. આ સમયે મરાઠાઓમાં દાભાડે અને પેશવા વચ્ચે ગુજરાતમાં પેાતપાતાના અધિકારો સબધમાં તીવ્ર સ્પર્ધા ચાલતી હતી.૮ સેનાપતિ દાભાડેએ દખ્ખણના નિઝામ સાથે પેશવા સામે સધ રચ્યા, તે પ્રતિપક્ષે પેશવા બાજીરાવે અભસિંહ સાથે સમજૂતી કરી (ફેબ્રુઆરી ૧૭૩૧), પરિણામે દાભાડ અને પેશવા વચ્ચે ઉગ્ર લડાઈ થઈ (એપ્રિલ ૧, ૧૭૩૧), જેમાં પેશવા વિજયી બન્યા. ત્રિભ`કરાવ દાભાડે માર્યા ગયા અને પિલાજીરાવ ગાયકવાડ ધવાયેલી સ્થિતિમાં લડાઈના મેદાનમાંથી નાસી છૂટયો. મહારાજા અભયસ હૈ પેશવા—દાભાડેની એ બાબતમાં પોતે ભજવેલા ભાગની અને સરઠા રાજકારણ વિશેની માહિતી દિલ્હીમાં પોતાના વકીલ અમરસિદ્ધ ભંડારીને પત્રમાં લખી મેાકલાવી (એપ્રિલ ૧૦, ૧૭૩૧), ભાઈની લડાઈ પછી પેશવા બાજીરાવતી સમાધાન અને સમજાવટની નીતિના ફલસ્વરૂપે ત્રિંબકરાવ દાભાર્ડના સગીરપુત્ર યશવંતરાવને સેનાપતિ તરીકે અને પિલાજીરાવને ‘સેના-ખાસખેલ'નેા ખિતાબ આપી યશવંતરાવના મુતાલિક તરીકે નીમવામાં આવ્યા, પણ પિલાજીરાવ મુલેના ભાગ માં કાંટારૂપ હાવાથી સૂબેદાર અભયસ ંહે કાવતરું યેાજી પિલાજીરાવનુ ડાકારમાં ખૂન કરાવ્યું અને પોતાના કાના જાણુ દિલ્હી કરી (માર્ચ ૨૬, ૧૭૩૨). * અભયસિંહૈ પિલાજીરાવના કબજા નીચેનુ' વડાદરા કબજે કર્યું અને ત્યાં શેરખાન બાબીને રૂ।જદાર તરીકે નીમ્યા, પરંતુ પલાજીરાવના પુત્ર દામાજીરાવ બીજો (૧૭૩૨-૬૮), જેણે એની ૩૬ વર્ષની જવલંત લશ્કરી કારકિર્દી દરમ્યાન વડાદરા રાજ્યની ભવ્ય ઈમારતના પાયા નાખ્યા, તેણે ૧૭૩૪ માં શેરખાન બાબી પાસેથી વડે।દરા જીતી લીધું. ૧૭૩૩ માં ખંડેરાવ દભાડેની વિધવા ઉમાબાઈએ ૩૦,૦૦૦ ના લશ્કર સાથે અમદાવાદ પર ચડાઈ કરી મહારાજા અભયસિદ્ધ એને! સામનેા કરી શકવા અસમથ રહ્યો અને ૮૦,૦૦૦ રૂપિયા તથા પ્રાંતની ચેાથ અને સરદેશમુખી આપવાનું કબૂલ કરી, સમાધાન કરી મરાઠાઓને વિદાય કર્યાં. અભયસિંહને હતાશા આવતાં અને હવે ગુજરાત પ્રાંત મરાઠાઓના તાબામાં જશે એવુ' માની એ અમદાવાદ છેાડી દિલ્હી ગયે। અને પોતાના નાયબ તરીકે રતનસિંહ ભંડારીને મૂકતા ગયા (૧૭૩૩).
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy