SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શું] મુઘલ હ મતની પડતી.... અસલિલ (ઈ.સ. ૧૨-૩) અસફઉદ્દોલાના સમયમાં યોગ્ય ફેજદાર તથા થાણદારોની પસંદગી કરવામાં આવી. મુહમ્મદ બેગખાનને સુરત બંદરને વહીવટ આપવામાં આવ્યું. નાયબ સુબેદાર તરીકે સર બુલ દખાનને દિલ્હીથી મૂકવામાં આવ્યો. સર બુલંદખાને વહીવટમાં સ્થિરતા લાવવા પ્રયાસ કર્યો. ચુંવાળના કોળીઓએ ફરી ત્રાસ ફેલાવવાનું શરૂ કરતાં એમની સામે અબ્દુર્રહમાન અને અબ્દુર્રહીમને મેકલવામાં આવ્યા. એ સરદારોએ કાળીઓનાં કેટલાંક ગામ બાળ્યાં અને લૂટયાં. અને તે કોળીઓને હરાવી તેઓન્ફરીથી મુઘલ સત્તા સામે માથું નહિ ઊંચકે એવું કરારનામું કરાવી દીધું. આ સમયમાં સરદાર મહેરઅલીખાને પ્રજા પર ત્રાસ ગુજારી બળજબરીથી જજિયાવેરો વસૂલ કરવાનું શરૂ કર્યું. સુરતમાં મુહમ્મદખાનનું મૃત્યુ થતાં, એની જગ્યાએ સરબુલંદખાને પોતાના સાળાના દીકરાને નામે. બાદશાહ બન્યા બાદ દસ મહિના પછી જહાંદરશાહને પદભ્રષ્ટ કરી એને ભત્રીજો ફરૂખસિયર ગાદીએ આવ્યા (ડિસેમ્બર ૩૧, ૧૭૧૨). બાદશાહ ફર્ખસિયો રાજ્ય-અમલ (૧૭૧૩-૧૭૧૯) કર્ખસિયરે માળવાના સૂબેદાર શાહમતખાનને ગુજરાતને સૂબેદાર નમતાં, શાહમતખાન અમદાવાદ આવ્યો (જૂન , ૧૭૧૩). શાહમતખાન (ફરી વાર) (ઈ.સ. ૧૯૧૩) | દરેક સૂબેદારને ઇસ્લામી કાનૂન પ્રમાણે પ્રજાનું રક્ષણ કરવા અને સ્વચ્છ તથા ન્યાયી વહીવટ કરવા રાબેતા મુજબ જે ફરમાન મોકલાતાં તેવું ફરમાન શાહમતખાનને પણ મોકલાયું. દિલ્હીની સલાહ મુજબ શાહમતખાને વહીવટી ચલાવ્યું, પરંતુ એને થોડા સમયમાં સૂબેદારપદેથી દૂર કરવામાં આવ્યો અને એની જગ્યાએ ઔરંગઝેબના સમયમાં બહાદુર સેનાપતિ તરીકે નામના મેળવેલ દાઉદખાન પન્ની નામના અધિકારીને મૂકવામાં આવ્યો દાઉદખાન (ઈ.સ. ૧૭૧૩-૧૫) | દાઊદખાને અમદાવાદ આવી (ફટોબર, ૧૭૧૩) વહીવટ સંભાળ્યો. એ પોતે કડક શિસ્ત પળાવવાનો આગ્રહી હતા અને એ માટે જાણીતે પણ હતો. એણે અમદાવાદમાં આવી ભદ્રને શાહી મહેલમાં રહેવા કરતાં શહેર બહાર
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy