________________
સતનત કાલ
મ્યુઝિયમમાં છે. મંદિર સાથે એક નાનકડા કુંડના થડા અવશેષ નજરે પડે છે આ મંદિર ૧૪મા શતક કરતાં પ્રાચીન જણાતું નથી. ૨૪
પ્રભાસની જુમ્મા મસ્જિદની ઉત્તર પાર્શ્વનાથ મંદિર અવશેષરૂપે બચ્યું છે. રપ અંદરની બાજુ સારી રીતે જળવાયેલી છે. એમાં સમરસ ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ ગૂઢમંડપ અને શૃંગારકી છે. ગૂઢમંડપ અને પ્રવેશચોકી ભદ્રિકા ઘાટના તંભ પર ટેકવેલ છે. મંડપની દીવાલોમાં સ્તંભના ગાળામાં એકેક ગોખની રચના છે. ગર્ભગૃહ પ્રદક્ષિણાપથ અને મંડપની દીવાલમાં અંદરની બાજુએ હળબંધ ગરાની રચના છે. આ મંદિર પ્રાય: રોવીસી પ્રકારનું જિનાલય હશે. ગૂઢમંડપને મધ્યભાગ બે મજલાને છે ઉપલા મજલાની વેદિકા મંડપના મધ્યભાગે પડે છે. વેદિકા પરના ખુલ્લા ગાળા જાલિકા વડે બાચ્છાદિત કરેલા છે, જેથી હવાઉજાસને પૂરતો અવકાશ રહે. બી મજલાની ઉપર બેવડા છું મટ કાઢવ્યા છે. ગૂઢમંડપનો પાર્થમાર્ગ તેમ પ્રદક્ષિણાપથ સપાટ આચ્છાદન વડે ઢાંકેલા છે. ગર્ભગૃહ પર કટકની રચના છે. સમગ્ર રચના. દષ્ટિએ આ મંદિર પર તત્કાલીન મુસ્લિમ સ્થાપત્યની સપષ્ટ અસર વરતાય છે.
થાન પાસે આવેલ કેડેલ ટેકરી પર પ્રાચીન સૂર્ય મંદિરના અવશેષ જોવા મળે છે. હાલ મંદિરના ગર્ભગૃહની દીવાલને કેટલેક ભાગ જ બચ્યા છે. ત્યાં આવેલા એક શિલાલેખના આધારે એ મંદિર વિ.સ. ૧૪૩૨( ઈ. સ. ૧૭૭૬)માં બૂડ લાખાના પુત્ર સંહે ફરીથી બંધાવ્યું હતું. પૂવ બાજુની ચેકીની દ્વારશાખામાં તથા પ્રાંગણની દીવાલમાં મૂળ મંદિરનાં કેટલાક શિ૯૫ નજરે પડે છે. મંદિરને પછીના સમયમાં અનેક વાર પુનરુદ્ધાર થયેલું છે તેથી એનું મૂળ સ્વરૂપ લગભગ નષ્ટ થયું છે. ગર્ભગૃહમાં હાલ જે સૂર્યમૂર્તિ છે તે પણ પછીના સમયની છે. મંડોવરની બહારની બાજુએ પશ્ચિમે ઉત્તર અને દક્ષિણે સૂર્ય તથા એમની બે પત્નીઓનાં શિલ્પ છે ?
સરોત્રા( જિ. બનાસકાંઠા )માં બાવન ધ્વજ' નામે ઓળખાતું જૂનું જૈન મંદિર (પટ ૧૦, આ. ૨૩) છે. મુખ્ય મંદિર ૧૬૬૪૨૭૪ મી. વિસ્તૃત જગતી પર આવેલું છે. મુખ્ય મંદિરને પાર્લે (દક્ષિણ) ભાગ, પૂર્વ બાજુનો મોટો ભાગ અને નૈઋત્ય ખૂણાની શિલ્પમંડિત દીવાલને ભાગ તૂટી પડેલ છે. શૈલીની દષ્ટિએ મંદિર ૧૩ મી–૧૪મી સદીનું મનાય છે. મંદિર ઉત્તરાભિમુખ છે. આબુની વિમલવસહી અને કચ્છના ભદ્રેશ્વર મંદિરની જેમ આ મંદિરના પ્રાંગણને આગલે ભાગ, રંગમંડપની પાને ભમતીની પાટ સાથે જોડી દઈને, છાઘાન્વિત કરે છે. મંદિર ગર્ભગૃહ ગૂઢમંડપ ત્રિકમંડપ રંગમંડપ ભમતી દેવકુલિકાઓ અને બલાનનું