SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩] સલતનત કાલ ગિ. એકદરે જે તે સલતનતકાલીન નાગરી લિપિના સંયુક્તાક્ષરોને બાદ કરતાં વ, અંતર્ગત સ્વરચિને, સતચિ અને અંકચિ ઘણે અંશે તેઓની વર્તમાન અવસ્થાને પામ્યાં છે. જેન નાગરી જૈન નગરી લિપિ આમ તે ઘણે અંશે દેવનાગરી લિપિને મળતી આવે છે, પરંતુ કેટલાક વર્ષોનું સ્વરૂપ, પડિમાત્રાને પ્રયોગ, કેટલાક સંયુક્ત વ્યંજને લખવાની વિશિષ્ટ પદ્ધતિ, અનેક પ્રકારના વિશિષ્ટ સંકેતનું નિર્માણ વગેરેને કારણે આ લિપિ દેવનાગરી લિપિથી જુદી પડે છે, એટલે આ લિપિને જૈન લિપિ” કે “જૈનનાગરી લિપિને નામે ઓળખવામાં આવે છે. આ લિપિનું પહેલી નજરે તરી આવતું લક્ષ લિપિનું સૌષ્ઠવ છે. સૌષ્ઠ યુક્ત લખાણ માટે જેને ઘણા આગ્રહી રહ્યા છે. પુસ્તક લેખન નિમિત્ત જૈન પ્રજાએ કાયસ્થ, બ્રાહ્મણ, નાગર, ભોજક વગેરે અનેક જ્ઞાતિનાં કુળને નભાવ્યાં હતાં. પરિણામે એ જ્ઞાતિ એ પોતાનું સમગ્ર જીવન જેનલેખનકલાવિષયક કુશળતા મેળવવા પાછળ એવારી નાખતી. એ દક્ષ લહિયાઓએ જૈન ગ્રંથ લખવામાં ખૂબ કલાસૌષ્ઠવ અને નિપુણતા દાખવ્યાં હોવાનું જૈન જ્ઞાનભાડાનું નિરીક્ષણ કરતાં સ્પષ્ટપણે જણાઈ આવે છે. જેનલેખનકલાનો આરંભ ઈ.સ.ની પાંચમી શતાબ્દીથી પશ્ચિમ ભારતમાં થો હોવાનું મનાય છે કે પર તુ જૈન લિપિમાં લખાયેલા ગ્રંથ ૧૧ મી સદી પહેલાંના ઉપલબ્ધ થતા નથી. વિ.સં. ૧૧૦૯ ની વંચાયા આ લિપિમાં લખાયેલા પ્રાચીન જ્ઞાત ગ્રંથ છે. • જોકે એ સયન લિપિનું સ્વરૂપ ત કાલીન નાગરી લિપિનું સહેજસાજ પરિવર્તનવાળું જ સ્વરૂપ છે, છતાં સમય જતાં એમાં વિશિષ્ટતાઓ વધવા લાગે છે અને જૈન લિનુિં વિશિષ્ટ સ્વરૂપ ઘડાવા લાગે છે. પદમાં છેલ્લા ખાનામાં સતત બેલના જૈન ગ્રંથોમાં પ્રત્યે જાયેલી લિપિના વર્ણ, કેટલાંક મહાના અંતર્ગત સ્વરચિહ્ન અને સયુકત વ્યંજને આપેલાં છે. આ લિપિનું સ્વરૂપ તપાસતાં અને એને સમકાલીન નાગરી લિપિ સાથે સરખાવતાં એનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણ તરી આવે છે : (૧) માં નીચલા મુખ્ય અવયવની ઉપલી આડી રેખા શિરોરેખાની ગરજ સારે છે, તેથી આ મોડ આ સ્વરના પૂર્ણ વિકસિત દેવનાગરી મરોડ કરતાં સ્પષ્ટપણે જુદે પડે છે. આ કાલનાં નાગરી લખાણોમાં આ મરોડ પ્રયોજાય છે, પરંતુ એ અનુકાલમાં લુપ્ત થાય છે, જ્યારે જૈન લિપિમાં આ જ મરડ પ્રયોજાતો રહે છે. (૨) મો અને ગોમાં પ્રાચીન
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy