SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ થ્રુ ] સાલકી રાજ્યની જાહેાજલાલી [ ૫૯ તરત અણુહિલવાડ આવ્યા ને પેાતાના બનેવી કૃષ્ણદેવના સૈન્યની સહાયથી ગાદી પર બેઠો. પ્રેમલદેવીના હસ્તે પટરાણી ભાપલદેવી સાથે કુમારપાલના રાજ્યાભિષેક થયા. એણે ઉદયનના પુત્ર વાગ્ભટને મહામાત્ય નીમ્યા. કુમારપાલ ત્યારે ૫૦ વર્ષની પ્રૌઢ વયના હતા.૯૬ : પ્રબંધચિ’તામણિમાં કુમારપાલના રાજ્યાભિષેક સ. ૧૯૯ ના કાર્તિક વદે ૨ ને રવિવારે જણાવ્યા છે,૭ જ્યારે ‘ વિચારશ્રેણી ’માં જણાવ્યું છે કે સિદ્ધરાજ સં. ૧૧૯૯ ના કાર્તિક સુદિ ૩ ના રોજ મૃત્યુ પામ્યો. પછી ૩૦ દિવસ પાદુકાનુ રાજ્ય રહ્યું ને માગસર સુદિ ૪ ને દિવસે કુમારપાલ ગાદીએ બેઠો.૮ ખાલીના શિલાલેખના વના વાચન પરથી 1. અશાકકુમાર મજુમદારે, હેમચંદ્રાચાય ની આગાહીમાં જણાવેલ વીર નિર્વાણથી ૧૬૬૯ વર્ષ ( અર્થાત્ વિ. સં. નાં ૧૧૯૯ વ ) વીતતાં ’માં એ વર્ષાને ગત ગણી કુમારપાલને રાજ્યાભિષેક વિ. સં. ૧૨૦૦ માં થયું હોવાનું સુચવ્યું છે.૯૯ પરંતુ ‘સુપાસનાહચરિય'ની પ્રશસ્તિમાં સં. ૧૯૯ ના માત્ર સુદ ૧૦ ને ગુરુવારે કુમારપાલનું રાજ્ય જણાવ્યુ` હાઈ૧૦૦ એ શિલાલેખના વર્ષોંનું વાચન સદિગ્ધ તે પ્રબધામાં આપેલું વર્ષ સંભવિત ગણાય. આ અનુસાર સિદ્ધરાજનુ મૃત્યુ ઈ. સ. ૧૧૪૨ ના બૈંકટોબરમાં તે કુમારપાલનું રાજ્યારેાહણ એ પછીના માસમાં થયુ હાલુ સભવે છે. ૧૦૧ આરભિક ઉપદ્રવા વય તથા અનુભવે પીઢ એવા રાજા કુમારપાલે સત્તાનાં સૂત્ર સંભાળી લીધાં ત્યારે વૃદ્ધ રાજપુરુષાએ એને મારી નાખવા કોશિશ કરી, પરંતુ ખબર પડતાં રાજાએ એ કાવતરાખારાને મારી નંખાવ્યા. વળી કૃષ્ણદેવ હવે ફાવે તેમ વા હાવાથી એની પણ ખેા ભુલાવી. આથી અન્ય સામતા પણ સારી રીતે વર્તવા લાગ્યા. ૧૦ ૨ શાક'ભરીના રાજાને પરાજય શાકંભરીના ચાહમાન રાજા અણ્ણરાજના પરાજય એ કુમારપાલનું સુપ્રસિદ્ધ પરાક્રમ છે. કુમારપાલના રાજ્યારાહણ પછી ઘેાડા વખતમાં અણ્વરાજે એના રાજ્ય પર ચડાઈ કરવા તૈયારી કરી. એમાં એને બલાલ ચાહડ વગેરે રાજાઓના સાથ હતા. અર્ણોરાજની હિલચાલની ખબર મળતાં કુમારપાલે નાંદીપુરના સૈન્યને બલ્લાલ સામે મેાકલ્યું ને પેાતે શાકંભરી તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં આજીના સામંત વિક્રમસિંહને સાથે લઈ ને કુમારપાલે અજમેર પર ચડાઈ કરી ને ત્યાંના ચાહમાન રાજાને
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy