SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ] સાલ કી કાલ [ .. સમગ્ર ધાટ લખચેારસ હોય છે. ગર્ભગૃહ અને અંતરાલના તલમાનના પ્રમાણનો વિશદ ચર્ચા અપરાજિતપૃચ્છા ’એ કરી છે. ગભ ગૃહની પહેાળાના સંદર્ભમાં અંતરાલની કેટલી પહેાળાઈ રાખવી એની ચર્ચા કરતાં અપરાજિતપૃચ્છા ’એ મે વચ્ચે રાખવાનું પ્રમાણ ૨ : ૧, ૩ : ૧, ૫: ૧, ૫: ૨, કે ૧ : ૩ નું સૂચવ્યુ છે. ૧૨૯ * આ કાલનાં કેટલાંક મંદિરામાં ગભ ગૃડ અને અંતરાલ વચ્ચેનું ૨: ૧ નુ પ્રમાણ જોવામાં આવે છે. ધૂમલી(નવલખા), સૂણુક(નીલકંઠ), ધિાજ(નારાયણ), ગિરનાર(નેમિનાથ) વગેરે સ્થળાનાં મંદિરેશમાં એ પ્રમાણ નજરે પડે છે, પણ વીરતા(નીલકંઠ), કસરા(ત્રિપુરુષ), મિયાણી(હરસિદ્ધ), બરડિયા(સાંબ) વગેરે સ્થળાનાં મદિરામાં એ ઉપર સિવાયનાં પ્રમાણેા પૈકીનું એક અથવા ખીજું નજરે પડે છે. ૧૩ પ્રદક્ષિણાપથ સાંધાર પ્રકારનાં મંદિરાનાં ગર્ભગૃહાની ફરતે પ્રદક્ષિણાપથ(ભ્રમણુ)ની રચના થયેલી હાય છે. એના મુખ્ય ગર્ભગૃહની દીવાલને એ કયારેક અનુસરે છે. એ દર તેમજ બહારથી સાઘ્ર કે અલંકૃત હેાય છે અને કેટલીક વાર અંદરની ખાજુએ સાદી અને બહારની બાજુએ ભદ્રાદિ નિ`મા તથા અનેકવિધ અલંકૃત થાથી વિભૂષિત હોય છે. કેટલીક વખતે આખી અલંકૃત દીવાલની મધ્યમાં એક એક અલંકૃત ઝરૂખા(ચંદ્રાવલેાકન)ની પણ યોજના હેાય છે. ઝરૂખાની વેદિકા પર આસનપટ્ટ અને વામન કદના સ્તંભાની રચના હોય છે. પ્રદક્ષિણાપય અને ગભ ગૃહની પહેાળાઈ ખાખતનું પ્રમાણ ૧: ૨ સમરાંગણુ-સૂત્રધારે આપ્યું છે. ૧૩૧ ગુજરાતનાં આ કાલનાં ઘણાંખરાં સાંધાર પ્રકારનાં મંદિરામાં આ પ્રમાણ જળવાયુ હાવાનુ જણાય છે. સપ નાના કદનાં મંદિરમાં મંડપો સાવ ખુલ્લા કે અઢાંકેલા હાય છે. તેઓને ♦ સભામંડપ ' કે રંગમંડપ' નામે ઓળખવામાં આવે છે. મેટા કદનાં મદિરાના મુપ ચારે બાજુએ પૂણુ દીવાલાથી આચ્છાદિત હોય છે. આ પ્રકારના મંડપને ગૂઢમંડપ' કહે છે. પ્રદક્ષિણાપથને અનુરૂપ મંડપના તલમાનમાં ત્રણે બાજુએ વિસ્તાર કરવામાં આવે છે એ સંજોગામાં મંડપ ‘ મહામંડપ' નામે ઓળખાય છે અને વિસ્તાર પામેલ મંડપના ભાગ પાર્શ્વ માગ' કે ‘ અલિદ' કહેવાય છે. તવમાનની દૃષ્ટિએ આ કાલનાં કેટલાંક મંદિશના મંડપેાની દીવાલો પર ભદ્રાદિનિગમા ન હોવાને કારણે તેઓ રચનામાં સાવ સમચારસ ઘાટનાં લાગે. "
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy