SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ સોલંકી કાલ [ પ્ર. પૂર્ણકલશગણિઃ પૂર્ણકલશગણિ આ. જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. તેઓ પ્રકાંડ પંડિત ગણુતા. એમણે સં. ૧૩૦૭(ઈ. સ. ૧૨૫૧)માં હેમચંદ્રસૂરિરચિત પ્રાકૃત-દ્વયાશ્રયકાવ્ય” ઉપર ૪૨૩૦ શ્લોકાત્મક વૃત્તિ રચી છે, જેનું સંશોધન એમને ગુરુભાઈ લક્ષ્મીતિલ ઉપાધ્યાયે છે. ૮ વળી, એમણે “રમંત્રાદિગર્ભિતસ્તંભનપાર્શ્વનાથસ્તોત્ર'ની પણ રચના કરી છે. રત્નાકરસૂરિઃ આ. દેવપ્રભસૂરિના શિષ્ય આ. રત્નાકરસૂરિએ આત્મનિંદાસ્વરૂ૫ “રત્નાકરપંચવિંશતિકા” નામક સ્તોત્ર-કાવ્ય સંસ્કૃતમાં રચ્યું છે. તેઓ સં. ૧૩૦૮(ઈ.સ. ૧પર)માં વિદ્યમાન હતા. લક્ષ્મીતિલક ઉપાધ્યાયઃ જિનેશ્વરસૂરિના શિષ્ય લક્ષ્મીતિલક ઉપાધ્યાયે આ. જિનરત્નસૂરિ પાસે વિદ્યાધ્યયન કર્યું હતું. એમણે સં. ૧૩૧૧(ઈ.સ. ૧૨૫૫) માં ૧૭ સગવાળું “પ્રત્યેકબુદ્ધચરિત' મહાકાવ્ય રચ્યું છે. વળી, જિનેશ્વરસૂરિએ સં. ૧૩૧૩(ઈ. સ. ૧૨૫૭)માં પાલનપુરમાં રચેલા “શ્રાવકધર્મપ્રકરણ” ઉપર સં. ૧૩૧૭(ઈ. સ. ૧૨૧)માં ૧૫૦૦૦ શ્લેક–પ્રમાણ ટીકા જાલોરમાં પૂરી કરી હતી, તે જ વર્ષમાં ભીમપલ્લીને વિરમંદિરને પ્રતિષ્ઠા-ઉત્સવ પણ થયે હતો.૧૯ એમણે સં. ૧૩૧૩ માં “શ્રી શાંતિનાથદેવરાસ' ઉત્તર ગૌર્જર અપભ્રંશ ભાષામાં એ છે. એમણે અનેક સાધુઓને ભણાવ્યા હતા અને કેટલાક ગ્રંથકારોના ગ્રંથનું સંશોધન કર્યું હતું. વિદ્યાનંદસરિ: તપાગચ્છીય આ. દેવેંદ્રસૂરિના શિષ્ય વિદ્યાનંદસૂરિએ “ વિધાનંદ વ્યાકરણની રચના સં. ૧૩૧૨(ઈ. સ. ૧૨૫૬)માં કરી છે. જિનેશ્વર રિના શિષ્ય ચંતિલાક ઉપાધ્યાયે જિનપતિસૂરિના શિષ્ય સુરપ્રભમુનિને આ “વિવાનંદ વ્યાકરણનું અધ્યયન કરાવ્યું હતું. • ચંતિલક ઉપાધ્યાયઃ આ. જિનેશ્વરસૂરિના શિષ્ય ચંદ્રતિલાક ઉપાધ્યાયે અભયકુમારચરિત' નામક કાવ્ય વાલ્મટમેરુ(બાહડમેર)માં શરૂ કર્યું હતું અને એની પૂર્ણાહુતિ વિસલદેવના રાજ્યકાલમાં ખંભાતમાં વિ. સં. ૧૨(ઈ. ૨ ૧૨૫૬) કરી હતી. આ કાવ્યની મોટી પ્રશસ્તિ એમના ગુરભાઈ કમાગણિ કવિએ રચેલી છે.૧૧૧ આ ચંદ્રતિલક ઉપાધ્યાય પિતાના વિદ્યાગુરઓમાં નેમિચંદ્રગણિ, સિદ્ધસેનમુનિ, ગુણભદ્રસૂરિ, સરપ્રભમુનિ, વિજયદેવસૂરિ અને જિનપાલ ઉપાધ્યાયને ગણાવે છે. અભયતિલકગણિ: આ. હેમચંદ્રસૂરિએ સંસ્કૃતમાં ૨૦ સભક થાશ્રય” રહ્યું છે. આ કાવ્ય ઉપર ચંદ્રગચ્છના જિનેશ્વરસૂરિની પરંપરામાં થયેલા અભયતિલગણિએ ૧૭,૪પર બ્રેકપ્રમાણ ટીકા સં. ૧૩૧૨(ઈ. સ. ૧૨૫૬)માં
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy