SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ] સાલફી કાલ [ પ્ર. આ ટુભમાં છે. પરિચ્છેદના અંતે કેટલાંક પદ્ય અન્ય છંદોમાં રચામાં છે. ગ્રંથમાં અપાયેલાં ઉદાહરણ સ્વરચિત જણાય છે. આમાં કેટલાંક પદ્ય પ્રાકૃતમાં પશુ છે. આ ગ્રંથ ઉપર ૧૩ થીયે અધિક વિદ્વાનેએ ટીકા રચી છે. એ બધા ટીકાકારે આ સમય પછીના છે. ટીકાકારેામાં કેટલાક જૈનેતર પણ છે. હેમચંદ્રસૂરિ : આ. અજિતદેવસૂરિના શિષ્ય હેમચંદ્રસૂરિએ નાત્રેય-નેમિદ્વિસંધાન કાવ્યની રચના કરી છે અને એના ઉપર વિષમ પદાની ટીકા પાતે જ રચી છે (ઈ. સ. ૧૧૨૪ લગભગ). આમાં પ્રત્યેક શ્લાક ઋષભદેવ અને નેમિનાથના ચરિત્ર ઉપર પ્રકાશ પાડે છે. એનું સંશાધન મહાકવિ શ્રીપાલે કરૂં હતું. યશશ્ચંદ્ર કવિ : રાજા સિદ્ધરાજ જયસિંહના અધ્યક્ષપણા હેઠળ વિ. સં. ૧૧૮૧(ઈ. સ. ૧૧૨૫ )માં થયેલા શ્વેતાંબર અને દિગંબર આચાર્યાં વચ્ચેના વાદવિવાદનું વર્ણન કરનારું પંચાંકી ‘મુદ્રિત કુમુદચંદ્ર નાટક ' ધવશીય યશશ્ચંદ્ર નામના કવિએ રચ્યું છે. એમાં સૂચવેલાં પાત્રા અને વર્ણવેલું કથાવસ્તુ લગભગ અતિહાસિક છે. કવિ યશશ્ચંદ્રના પિતા પદ્મચંદ્ર અને દાદા ધનદેવ પણ મહા વિદ્વાન હતા, પરંતુ એ બંનેની કોઈ કૃતિ મળતી નથી. કવિ યશશ્ચંદ્ર પોતાને અનેક પ્રશ્નધાના કર્તા તરીકે જણાવે છે. ‘મુદ્રિતકુમુદચંદ્ર નાટક ’ના ઉલ્લેખથી જણાય છે કે એણે એ મહાકાવ્ય અને ચાર નાટક રચ્યાં હતાં.૫૭ એમાંથી એક ‘ મુદ્રિતકુમુદચંદ્ર ' અને બીજું · રાજિમતીપ્રમેાધ નાટક ' મળી આવે છે. આ પાછલામાં નેમિનાથ અને રાજિમતીના વિવાહપ્રસ’ગનું અને નેમિનાથે લગ્ન ન કરતાં મુનિપણું ધારણ કરવાનું તેમજ રાજિમતીએ પણ સાધ્વી બની ગિરનાર ઉપર સાધના કરવા જવાનું પૌરાણિક વસ્તુ વશ્તિ કર્યું છે. એ સિવાયનાં એ નાટક અને એ મહાકાવ્યપ૮ મળતાં નથી, છતાં મુદ્રિતકુમુદચંદ્ર નાટક ' અને ‘ રાજિમતીપ્રમાધ નાટક ’ ઉપરથી એની યશસ્વી કવિ તરીકેની પ્રતિભાના ખ્યાલ આવે છે.પ૯ " t " વિજયસિ'હસૂરિ : સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યકાલમાં વિદ્યમાન આ. વિજયસિંહરિએ વિ. સં. ૧૧૮૩( ઈ. સ. ૧૧૨૭)માં શ્રાવકપ્રતિક્રમણસૂત્ર' પર ૪૫૦૦ શ્લોકપ્રમાણુ ચૂર્ણિની રચના કરી છે. . આમ્રદેવસૂરિ : આ. આદેવસૂરિ આ. જનચંદ્રસૂરિના શિષ્ય હતા. એમણે આ. નેમિચંદ્રસૂરિએ રચેલા ́ આખ્યાનક મણિકાશ ' પર વિ. સ. ૧૧૯૦ (ઈ. સ. ૧૧૩૪)માં ધોળકામાં સિદ્ધરાજના રાજ્યકાલમાં ૧૪૦૦૦ ક્લાકપ્રમાણ વૃત્તિ રચી છે. આ વૃત્તિ પણ પ્રાકૃતમાં છે. ટીકાકારે ક્યાંક કયાંક ગદ્યના ઉપયાગ કર્યાં છે. કેટલાંક આખ્યાન અપભ્રંશમાં છે. વચ્ચે વચ્ચે સંસ્કૃતના અનેક
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy