SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ [ ૧૦૪ અલાઉદ્દીનના દરબારના કવિ અમીર ખુસરોએ પિતાના દવલરાની વખિજૂરખાન” કાવ્ય(ઈ. સ. ૧૩૧૬-૨૦)માં જણાવ્યું છે કે ઉલુઘખાન કર્ણદેવની રાણું વલાદી(કમલાદેવી)ને પકડી દિલ્હી લઈ ગયો. ત્યાં એ બાદશાહની માનીતી બેગમ બની. કર્ણદેવ પાસે રહેલી બે પુત્રીઓમાં મોટી પુત્રી મૃત્યુ પામી ને બીજી છ મહિનાની હતી. આગળ જતાં કમલાદેવીની ઈચ્છાથી બાદશાહે કર્ણદેવ પાસે એની નાની, કુંવરી દેવલદેવીની માગણી કરી. અલાઉદ્દીને ઉલુઘખાન અને પંજમીનની સરદારી નીચે મેકલેલી ફેજથી ગભરાઈ જઈ કર્ણદેવે દેવગિરિના રાજાનું શરણુ શોધ્યું ને દેવલદેવીને એના પુત્ર વેરે પરણાવવાનું કબૂલ કર્યું. કર્ણદેવ પુત્રીને ભેટસોગાદ. સાથે મોકલવા તૈયાર થયો, પણ દેવલદેવી દેવગિરિ જતાં માર્ગમાં પકડાઈ જતાં પંજમીને એને દિલ્હી મોકલી દીધી. ત્યાં આઠ વર્ષની દવલદી (દેવલદેવી) અને દસ વર્ષના શાહજાદા ખિઝરખાન વચ્ચે પ્રીતિ બંધાઈ ખિઝરખાનની માતા. શાહજાદાને પિતાના ભાઈ અલપખાનની દીકરી સાથે પરણાવવા માગતી હતી તેથી એણે એ બેને છૂટાં પાડ્યાં ને એને અલપખાનની દીકરી સાથે પરણાવ્યો પણ ખરે (ઈ. સ. ૧૩૧૧), પણ ખિઝરખાન-દેવલદેવીની ગાઢ પ્રીતિ કામિયાબ નીવડી ને છેવટે બંનેનું લગ્ન થયું (ઈ. સ. ૧૩૧૩). આગળ જતાં મલેક કાફૂરે બાદ-- શાહને ભંભેર્યો ને ખિઝરખાનને ગ્વાલિયરના કિલ્લામાં કેદ કરવામાં આવ્યો. ઈ. સ. ૧૩૬ માં અલાઉદ્દીનનું મૃત્યુ થયું. મલેક કારે ખિઝરખાનની આંખે ફેડી નંખાવી. મલેક કાફૂરને મારી બીજે શાહજાદો તખ્તનશીન થયો. એણે ખિઝરખાનને મારી નંખાવીને લગ્ન કરવાની ઈચ્છાથી દેવલદેવીને પિતાના જનાનામાં. દાખલ કરી (ઈ. સ. ૧૭૨૦).૧૫ આ એક પ્રણયકાવ્ય હોઈ એમાં સ્વાભાવિક રીતે કેટલીક અવાસ્તવિક કલ્પનાઓ ઉમેરાઈ છે. કવિ ઈસામી (ઈ. સ. ૧૭૫૦) આ વાત જુદી રીતે જણાવે છે. બીજી. વખત મુસલમાનોનું આક્રમણ થતાં કણે હારીને દખણમાં નાસી ગયે તે દરમ્યાન એની રાણીઓ અને કુંવરીઓ મુસલમાનોના હાથે પકડાઈ ગઈ તેમાં દેવલદેવીને પણ સમાવેશ થતો હતો. ૨૬ પછીના લેખકોમાં બરની (ઈ. સ. ૧૩૫૯) જણાવે છે કે કર્ણદેવ ઉલુઘખાન -નસરતખાનથી હારી દેવગિરિ ભાગી ગયો. એની રાણીઓ તથા પુત્રી મુસલમાનના હાથે કેદ પકડાઈ અને એમને દિલ્હી લઈ જવામાં આવી. ૨૭ બરની કોઈ સ્ત્રીઓનાં નામ જણાવતો નથી તેમજ દેવલદેવીને પ્રેમપ્રસંગ નિરૂપતો નથી. પછીના તવારીખકારોમાં નિઝામુદ્દીન (ઈ. સ. ૧૫૯૫) અને બદાની. (ઈ. સ. ૧૫૯૫) ઉલુઘખાને દેવલદેવીને પકડ્યાનું જણાવે છે, પરંતુ બદાઊની
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy