SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ I૪ ] ઇતિહાસની પૂર્વ ભૂમિકા [.. થયેલા છે, ૩૩૯ જ્યારે એને ધરસેન ૩ જાના દાનશાસન(ઈ. સ. ૬૨૩), ઉપરાંત ધરસેન ૪ થા (ઈ: સ. ૬૪૪) અને શીલાદિત્ય ૩ જાનાં (ઈ. સ. ૬૬૪ નાં એ) દાનશાસનેામાં ‘આહાર' તરીકે નિર્દેશ થયેલા છે. ૩૪૦ ભાવનગર જિલ્લામાં ભાવનગર તાલુકામાં, ધેાધાથી પશ્ચિમ દિશામાં આશરે નવેક કિ.મી. ( છએક માઈલ) ઉપર, આ ગામ આવેલુ' છે. પાદલિપ્તપુર-પાલીતાણા : સૌરાષ્ટ્રના ગોહિલવાડ–ભાવનગર જિલ્લામાં શત્રુંજય ગિરિની તળેટીમાં આવેલા આ પ્રાચીન નગરને લગતા ભિલેખિક ઉલ્લેખ ગાવિંદરાજ પ્રભૂતવર્ષના ઈ. સ. ૮૧૮-૧૯ ના દેવલીમાંથી મળેલા દાનશાસનમાં પાલિત્તાન’તરીકે થયેલા મળે છે.૩૪૦અ સવિશેષ ઉલ્લેખ જૈન પ્રબધામાંના છે. પ્રભાવકચરિતમાં પાદલિપ્તસૂરિનું ચરિત આપતાં એમના શિષ્ય સિદ્ધ નાગાર્જુનને પ્રસંગ આપવામાં આવ્યા છે. રસની સિદ્ધિ પ્રાપ્ત કરનારા આ નાગાજુ તે વિમલાદ્રિ(શત્રુંજય)ની તળેટીમાં ગુરુના નામથી ‘પાદલિપ્તપુર'ની સ્થાપના કરી ત્યાં મહાવીર સ્વામીનું ચૈત્ય કયુ હાવાનું કહેવામાં આવ્યું છે.૩૪૧ પ્રશ્ન ધચિંતામણિ અમાત્ય વસ્તુપાલે ‘પાલિતાણુક'માં વિશાલ પૌષધશાળા કરાવ્યાનુ ગાંધી, પછી ‘પાદલિપ્તપુર'માં નાગાર્જુને ગુરુની સેવાના ફલસ્વરૂપ ‘ગગનગામિની’ વિદ્યા મેળવ્યાનુ તેાંધ્યું છે.૩૪૨ વિવિધતીર્થંકપે ‘વાલ’ (આજને વાલાક) પ્રદેશમાં ‘પાલિત્તાણુય’ નગર હાવાનુ કહી ‘કવિ§' નામના ગ્રામમહત્તરનુ કથાનક આપ્યુ છે;૩૪૩ આગળ જતાં ‘પાલિત્તયપુર'માં નાગાર્જુન પાદલિપ્તાચાની સેવામાં હાઈ પછી એનું પણ કથાનક નેાંધ્યુ છે.૩૪૪ પુરાતનપ્રબંધસંગ્રહમાં વસ્તુપાલે પાલીતાણુક' ગયાનુ' અને ત્યાં- પાદલિપ્તપુર'માં લલિતાદેવીના શ્રેય માટે સરોવર કરાવ્યાનું અને ‘પાદલિપ્તપુર'માં નાગાર્જુન ગુરુની સેવા કરતા હેાવાનું એમ ત્રણ વાર બંધ કરવામાં આવી છે.૩૪૫ પ્રમધકાશ તા નાગાર્જુને ‘પાદલિપ્તપુર' નવું વસાવ્યાનું, નેમિનાથનું દેરાસર કરાવ્યાનું, વગેરે નાંધી લે છે.૩૪૬ સિંહપુર : આવશ્યકસૂત્રની નિયુÖક્તિમાં તીર્થંકર શ્રેયાંસના જન્મસ્થાન તરીકે ‘સિંહપુર' કહેવામાં આવ્યું છે૩૪૭ તે વારાસી પાસેનું ‘સિંહપુરી’ માનવામાં આવે છે, પરંતુ સૂત્રકૃતાંગસૂત્રની શીલાંકદેવની વૃત્તિમાં એક હાલરડુ ઉષ્કૃત કરવામાં આવ્યું છે તેમાં ‘ન±પુર' ‘હસ્તકલ્પ’ ‘ગિરિપત્તન’ ‘કુક્ષિપુર’ ‘પિતામહમુખ' ‘શૌરિપુર' એ નગરા સાથે ‘સિ ંહપુર' પણ છે૩૪૮ તે કદાચ સૌરાષ્ટ્રનું હાઈ શકે
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy