SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮] ઇતિહાસની પૂર્વભૂમિકા થઈ શકતો નથી. રાજશેખર કાવ્યમીમાંસામાં પશ્ચિમ દેશમાં સરસ્વતી” “ભવતી અને “વાર્તાધી” પછી “મહી' કહે છે તે તે ગુજરાતની જ નહી” છે ૫૦ પ્રબંધકેશમાં રાજશેખરસૂરિએ વરતુપાલ વિશે વાત કરતાં “મહીતટીના પ્રદેશમાં ગેધા’ (ગોધરા) નામના નગરનું સુચન કર્યું છે. આજે પ્રદેશ તરીકે મહીકાંઠો સંકુચિત બને છે; રાજશેખરસૂરિ એવો કેઈ રાજકીય વિભાગ ધ્યાનમાં રાખીને નથી કહેતા.૫૧ મહી મધ્યપ્રદેશની ગિરિમાળામાંથી નીકળી આવી, અત્યારે રાજસ્થાનમાં સમાવિષ્ટ થયેલા ડુંગરપુર-વાંસવાડા જિલ્લાઓની વચ્ચેની સીમા રેખાએ પસાર થઈ, પંચમહાલમાં પ્રવેશ કરીને ખેડા જિલ્લામાં મોટાં મેટાં વાંધાઓના પ્રદેશમાં થઈ ખંભાતના અખાતમાં પડે છે, જ્યાં એનું “મહીસાગર નામ પ્રચલિત છે, પણ એ નોંધાયેલું જાણવામાં નથી. પર્ણાશા (બનાસ): મહાભારતમાં અને પદ્મપુરાણમાં એક “પણુશા નદી નોંધાઈ છે. ૫૨ ભીષ્મપર્વમાં એ પૂર્ણાશા' છે તે પાઠાંતરથી “પર્ણાશા' છે.૫૩ પુરાણોમાં એ “વર્ણાશા' તરીકે પણ નોંધાઈ છે. ૪ કેમકે ભસ્ય અને વાયુને પાઠ વર્ણાશા' છે;૫૫ માર્કડેયમાં એ વેણાસા' કહેવાઈ છે, અને બ્રહ્મપુરાણમાં એ વેશ્યા છે. પ૭ “પર્ણાશા' એ સ્પષ્ટતઃ હાલની બનાસ છે, પણ બનાસ બે છે: એક બનાસ મધ્યપ્રદેશમાં ચંબલની શાખા છે ને એ પૂર્વગામિની છે, જ્યારે બીજી બનાસ ઉત્તર પશ્ચિમ ગુજરાતની છે કે પશ્ચિમ ગામિની છે. પર્ણાશા' પારિવાત્ર પર્વતમાંથી નીકળે છે, પણ એનાથી આ બેમાંથી કઈ બનાસ એ નકકી થઈ શકે નહિ. નહપાનના જમાઈ ઉષવદાતના નાસિકના અભિલેખ(ઈસ્વી ૧ લી સદી)માં એનાં તીર્થોમાંનાં દાનપુણ્યોને આરંભ બાણસા નદીથી થયો કહ્યો છે. ત્યાંથી પ્રભાસ સુધી જઈ ભરુકચ્છ, દશપુર, ગોવર્ધન અને પગમાં એણે પુણ્યદાન-બ્રહ્મભોજન કરાવ્યાં હતાં. આગળ ચાલતાં ઇબા, પારાદા, દમણું, તાપી, કરબેણ અને દહાનુકા નદીના કાંઠાઓ ઉપર પાણીની પર બેસાડી હતી, વગેરે ૫૮ ભૌગોલિક પૂર્વાપર સંબંધ જોતાં આ બાસા” ગુજરાતની બનાસ હોવા સંભવ છે મોડેનાં જૈન સાધનમાં બન્નાસા' કહી છે તે આ “પશા-વર્ણાશા-બાસા' જ છે. ૫૯ પુરાતનપ્રબંધસંગ્રહમાં ભીમદેવ ૨ જાના સમયમાં પાટણ ઉપર તુરુ ચડી આવ્યા ત્યારે બનાસ નદીના કાંઠેના “ગાડરી નામના સ્થાન પર રણક્ષેત્ર તૈયાર ક્યાનું નોંધ્યું છે. અહીં આ બનાસ જ કહી છે. એ મેવાડમાં આવી, નાથદ્વાર(જૂના સીંહાડ)ની પશ્ચિમે થઈ પહાડીમાંથી નીચે ઊતરી, ખરેડી (આબુરોડ સ્ટેશન)ની પશ્ચિમે થઈ બનાસકાંઠામાં ઊતરી આવી, કચ્છના રણમાં “સરસ્વતીની જેમ પથરાઈ જાય છે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy