SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ રકJ ઈતિહાસના પૂર્વભૂમિકા [પ્ર. જે કે વાઘેલા અર્જુનદેવના સમયના પશ્ચિમ સૌરાષ્ટ્રના કાટેલા ગામના શિવાલયના ઈ. સ. ૧ર૬૪ ના અભિલેખમાં કુરાષ્ટ્રાવિકૃત સમાસમાં છે૫૪ તે પુરાણા છે, કારણ કે ઈ. સ. ૧૨૭૪ ના એના જ સમયના ગિરનારના લેખમાં સુરાષ્ટ્ર જ છે. ૫ માંગરોળ-સોરઠની જુમા મસ્જિદના કર્ણ વાઘેલાના સમયના, ઈસ. ૧૩૦૦થી બે ત્રણ વર્ષ પૂર્વના અભિલેખમાં શ્રીસુરાષ્ટ્રીમમાં પણ સ્ત્રીલિંગે છે. જૈન પ્રબંધેમાં તે બેઉ લિગે પ્રયોગ વિપુલ પ્રમાણમાં મળે છે. એમ લાગે છે કે દેશવાચક સંજ્ઞા “સુરાષ્ટ્ર કે “સુરાષ્ટ્ર હતી અને પ્રજાવાચક સંજ્ઞા સૌરાષ્ટ્ર હતી. પછીથી લહિયાઓને હાથે સૌરાષ્ટ્ર રૂપ, બંને અર્થ માટે, સ્વીકૃત થતું ચાલ્યું હોય. ધ્યાન ખેંચે છે તે દેશવાચક નામ તરીકે પ્રજાયેલ સૌણ શબ્દ. કનોજના મહેંદ્રપાલના મહાસામંત અવનિવર્મા ૨ જાના ઈ. સ. ૯૦૦ ના દાનશાસનમાં (સૌ)રાજugશ્વાન્તઃ પતિ એ પ્રયોગ મળે છે. ૫૭ આ પૂર્વે ગુજરાત બહાર રચાયેલા દંડીના દશકુમારચરિતની અનુકાલીન પ્રતમાં સૌરાષ્ટ્ર બહુવચને દેશવાચક છે, વલભીનગરીના સંદર્ભમાં. કુમારપાલના સમયના માંગરોળ-સેરઠના મૂલુક ગૃહિલના ઈ. સ. ૧૧૪૬ ના અત્રિલેખમાં કુરાન ચવા સાથોસાથ થડે જ આગળ જઈ લૌરાષ્ટ્રરક્ષાક્ષમ શબ્દ પણ પ્રયોજાયેલ છે, જે વૈકલ્પિક પ્રયોગને ખ્યાલ આપે છે ૫૮ ભીમદેવ રજાના ઈ. સ. ૧૨૧૯ ના દાનશાસનમાં જામનગર જિલ્લાના ખંભાળિયા નજીકના ભરાણા ગામને, એ ગામને માજમ રવિદા કહેતા, લેખએ ગામને સૌરાષ્ટ્ર સે હોવાનું કહે છે. એનું અસલ રૂપ સં. સુરાષ્ટ્ર જૂના સમયમાં હતું અને પ્રાકૃત રૂપ પણ સુરક હતું એ આ પૂર્વે બતાવાયું છે. લગભગ ઈસ. ૧૫૫ ના વાસિષ્ઠીપુત્ર પુળુભાવિના પ્રાકૃત અભિલેખમાં સુરઢ રૂપ પ્રજાયું છે તે આ વાતને જ કે આપે છે. હરિપ્રસાદ શાસ્ત્રીએ ધ્યાન દોર્યું છે કે મૈત્રક કાલમાં સૌરાષ્ટ્ર રૂ૫ વ્યાપક તું જતું હતું, જેને ઉપલબ્ધ પ્રમાણે પરથી દર્શાવ્યું છે કે ત્યારે ‘સુરાષ્ટ્રની જેમ સુરાષ્ટ્રા” શબ્દ પણ સૌરાષ્ટ્રના સમસ્ત દ્વીપકલ્પ માટે વપરાતો હતો. એમણે એક સંભાવના ત્યાં વિચારી છે કે કદાચ એના એક વિભાગ માટે એ રૂપ વપરાતું હોય, જેના ઉપરથી સેરઠ' શબ્દ ઊતરી આવ્યો. ભીમદેવ ૨ નાના સમયમાં તો હજી આ પરિસ્થિતિ નથી દેખાતી, કારણ કે ઉત્તર સૌરાષ્ટ્ર રથળને સૌરાષ્ટ્રરેશે કહ્યું છે એ ઉપર આપણે જોયું છે. એ ખરું છે કે ખૂબ જ મોડેથી, જૂનાગઢ ઉપર બાબી વંશનું શાસન પ્રવર્યું ત્યારે, સૌરાષ્ટ્રને સૂબે જૂનાગઢના વિરતારમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભર્યાદિત બન્યો, અને એ વિભાગ “તેર” તરીકે વ્યાપક થે. બાકી
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy