SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ માને. અજીવને સર્વથા હેય ન માને, એટલે જ નવમા ગ્રેવકના પોલિક સુખની આકાંક્ષા ઉભી રહે છે. આમ જે એક મોક્ષ તત્ત્વને માનતો નથી તે વાસ્તવિક નવે તત્ત્વને માનતો નથી તેનું કારણ અનાદિ મિથ્યાત્વ, જે અનાદિકાળ સુધી સદા રહેવાનું છે. આથી તેદ્રવ્યથી નિરતિચાર ચારિત્રપાળીને એક બાજુ નવમા ગ્રેવયેકના સુખ પ્રાપ્તિના પુણ્યનો બંધ કરે અને સાથે પાપનો અનુબંધ પણ ભવભ્રમણના કારણ રૂપ બાંધે છે. મોક્ષ તત્ત્વની તેને રુચી નથી એટલે આત્માના શુદ્ધસ્વરૂપસ્વભાવની રુચિ નથી. પોતાના આત્મામાં અનંતસુખ છે અને તે અનંતસુખને હું સર્વજ્ઞના કથન મુજબ પુરુષાર્થ કરવા વડે પ્રગટ કરી શકું છું, ભોગવી શકું છું, તેવી શ્રદ્ધા રુચિ-પરિણામ નથી. રુચિ આત્માનો સ્વભાવ છે અને જો સ્વઆત્મ સ્વભાવની રમણતાની રુચિ નથી તો રુચિ પરમાં-પુદ્ગલ સ્વભાવમાં જ જાય છે. આમ નવ તત્ત્વોને તે જાણે છે, જગતને સમજાવે છે પણ પોતાને તેની રુચિ નથી, તેનો સ્વીકાર નથી પણ દેવલોકના સુખની પ્રાપ્તિ અને ભોગવવાની રુચિના પરિણામ ઉભા છે. અભવ્યો કે ભારે કર્મા જયારે દીક્ષા લઈ દ્રવ્યથી અપ્રમત્તપણે દીક્ષા પાળે ત્યારે અનંતાનુંબધી અપ્રત્યાખ્યાનનો અને અનંતાનુબંધી સંજ્વલનનો તથા વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ હોય અને તે વખતે મુકિતનો તિવ્ર દ્વેષ ન હોય. કંઈક અંશે મિથ્યાત્વ પણ મંદ થાય છે તેથી તે દ્રવ્યથી નિરતિચાર ચારિત્ર પાળે છે, પણ અનંતાનુબંધીના મૂળિયા તરીકે મિથ્યાત્વ ન જવાના કારણે પાછો અનંતાનુબધી ઉદયમાં આવી જાય. શું આપણને પણ આપણા સ્વરૂપ- સ્વભાવરૂપ મોક્ષની રુચિ થઈ છે? આત્માના ગુણમાં જ સુખનો અનુભવ થાય અને પુગલમાં જીવને વાસ્તવિક પીડા જ થાય તેવો નિશ્ચય થયો છે ખરો? આત્મા સમકિતની સન્મુખ છે કે કેમ? તે કયારે નક્કી થાય? જે જિનવચન સાંભળવું ગમે અને તે કરવા જેવું લાગે અને જિનવચનના યથા શક્ય પાલનમાં અંતરમાં આનંદ થાય છે તો એ જ ભવ્યત્વના વિકાસની નિશાની છે. અભવ્ય ગમે તેવું સાંભળે કે આચરે તો પણ તેના અંતરમાં કદી આનંદ ન આવે. જે આત્મા શરમાવર્તમાં, અપુનબંધક દશામાં આવે તેને મોક્ષસ્વરૂપ સાંભળતા આનંદ પ્રગટે, અભિલાષા થાય તો તે આત્મા સમકિતની સન્મુખ છે. તેમ કહી શકાય. sળ | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy