SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ તેને અશાંતિ રહે છે. આથી વીતરાગ પરમાત્માનું સ્વરૂપ સમજીને આત્મામાં વીતરાગ પરમાત્માને અને તેના વચનને પધરાવવાની ભાવના હોવી જોઈએ. આપણને જયાં સુધી વીતરાગ બનવાનો ભાવ ન જાગે ત્યાં સુધી હૃદય મંદિરમાં વીતરાગને પધારવાનું કયાંથી થાય? સર્વદુઃખનું મૂળ રાગ-દ્વેષ અને મોહ છે અને તેને દૂર કર્યા વિના સાચું સુખ કયાંથી? આપણામાં સમ્યગ્રદર્શનનાં પરિણામ છે કે નહીં તેની ખાતરી કઈ રીતે થાય? સભ્ય દર્શનના લક્ષણો – આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને શમ છે. જો આસ્તિકય સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે નિર્મળ થાય અને આસ્તિકતા હોય તો દયાના પરિણામ આવ્યા વગર ન રહે. બીજાને દુઃખી જોઈને દયા થાય વિષય કષાય તાપથી પીડીત પોતાના આત્માને દુઃખી જોઈ દયાના પરિણામ આવે તો બીજાની દયા સાચી. આપણો આત્મા કેટલા કાળથી દુઃખી છે? તેનો નિર્ણય થવો જોઈએ. દયાના પરિણામ માટે જ્ઞાન જરૂરી છે. સર્વજ્ઞના તત્ત્વજ્ઞાન વિના સાચી દયા ન આવે. સમકિતનો પહેલો પાયો આસ્તિક્ય. આત્માના અસ્તિત્વને જ જો આત્મા ન જાણે તો શું થાય?પઢમં ના તમો તથા જ્ઞાન સમ્યગદર્શનથી શુદ્ધ થાય. જ્ઞાનનું ફળ દયા. માત્ર મોક્ષ તત્વનો સ્વીકાર ન કરનાર અભવ્યને બાકીનાં આઠ તત્વનો પણ સ્વીકાર ઘટતો નથી. અભવ્યના આત્માને જ્ઞાન નવપૂર્વ સુધીનું થાય, નવતત્ત્વો જાણે, આત્માનો સ્વીકાર પણ કરે પણ સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે અંદર પરિણામથી સંપૂર્ણ સ્વીકારતો નથી તેથી તેનામાં દયાનો પરિણામ નથી. લોકોને નવતત્ત્વનો યથાર્થ ઉપદેશ આપે, લોકો તેના ઉપદેશથી નવતત્ત્વની શ્રદ્ધા કરી સમ્યગ્રદર્શન પામી ચારિત્ર સ્વીકારી પોતાનો મોક્ષ પણ પ્રગટ કરે. પણ અભવ્યને પોતાના મોક્ષતત્ત્વની શ્રદ્ધા-રુચીનાં પરિણામ ન થાય. ચારિત્ર પાળે પણ નિર્જરા માટે નહીં, સ્વર્ગના પૌદ્ગલિક સુખનાં લક્ષ્ય આરાધના કરે. આથી એક મોક્ષ તત્ત્વનો સ્વીકાર કરતો નથી તો તે નિશ્ચયનયથી બાકીના આઠ તત્ત્વને માનતો નથી. મોક્ષ તત્ત્વને તે પૂર્ણ માનતો નથી તેથી તપ નિર્જરા માટે જ કરવો જોઈએ તેવી તેની માન્યતા નથી. આશ્રવને એકાંતે હેય માનતો નથી, પુણ્યને પણ નિશ્ચયથી હેય માનતો નથી. જે કંઈ સાધના કરે છે તેમાં પુણ્ય પ્રાપ્તિનું લક્ષ્ય છે. સર્વવિરતિના સ્વીકારને માને પણ સર્વવિરતિ નિશ્ચયથી ૧૪માં ગુણસ્થાનકે જ થાય, તે માટે જ મારે સર્વવિરતિ સ્વીકારવાની છે તેમ ન અજીવ તત્વ | 49
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy