SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ મળે શું? તો પુણ્યકર્મ શુભ પુદ્ગલનો યોગ કરાવે અને પાપકર્મ અશુભ પુદ્ગલનો યોગ કરાવે. પુદ્ગલનો સ્વભાવ પુદ્ગલને જ ગ્રહણ કરવાનો છે, આત્માને ગ્રહણ કરવાનો નહીં. કર્મ એ આત્માથી પર (પુગલ) દ્રવ્ય છે તેથી કર્મ આત્માની ગુણ સંપત્તિ આપી ન શકે. આત્માથી જે પર વસ્તુ છે તે આપે તો પર પુગલના સંયોગમાં આત્માને આનંદ આવવો ન જોઈએ. ત્યાં ઉદાસીન ભાવ જ આવવો જોઈએ કારણ કે આત્મા પુણ્ય-પાપના ઉદયથી પર છે. ઉદયમાં રાગ-દ્વેષ ન કરવા. પોતાની ગુણ સંપત્તિ ન મળી તેનો ખેદ અવશ્ય થવો જોઈએ અને તેના માટેના પ્રયત્ન પણ થવો જોઈએ, નહીં તો મોક્ષમાર્ગની આરાધના કઈ રીતે થશે? • ચિત્ત પ્રસન્નતી એ શું છે?: જિનેશ્વર પરમાત્માની પૂજાનું ફળ ચિત્તની પ્રસન્નતા છે. જે વ્યવહારનયે મનની પ્રસન્નતા છે નિશ્ચયનયે ચિત્ત તે જ્ઞાન છે. જ્ઞાનમાંથી મોહ જેમ જેમ દૂર થતો જાય તેમ તેમ જ્ઞાન નિર્મળ થતું જાય. નિર્મળ થયેલું જ્ઞાન આનંદયુકત બને અને મનમાં આનંદયુકત જ્ઞાન પ્રગટ થાય. અર્થાત્ ચિત્ત પ્રસન્ન-આનંદિત થાય. પરમાત્માની પૂજા કરવા છતાં ચિત્ત પ્રસન્ન કેમ ન થાય? પરમાત્મા એટલે – જેનો આત્મા પરિપૂર્ણ ગુણથી પૂર્ણ થઈ ગયો છે તે. હવે તેમને કોઈ ગુણની પ્રાપ્તિ કરવાની રહેતી નથી પણ જે આત્માઓ તે ગુણ પ્રાપ્તિની ઝંખનાવાળા અને ગુણ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય તેવા યોગ્ય આત્મામાં તેઓ પ્રાપ્ત કરેલા ગુણોનું આધાન (પ્રદાન) કરવામાં નિમિત્તભૂત બને. આથી આપણા જિનેશ્વરદેવનું વિશેષણ છે. વોદિયા થમ તયા” તથા “તિન્ના તારા' આથી પરમાત્માને ગુણ સિદ્ધ હોવાના કારણે આપણી યોગ્યતા હોય તો આપણને પણ જરૂર ગુણ પ્રાપ્તિ થયા વિના ન રહે પણ આપણે પરમાત્માની પૂજા વાસ્તવિક કરીએ છીએ કે માત્ર પરમાત્માની પૂજામાં દેહ રૂપ પ્રતિમાની જ પૂજા કરીએ છીએ તે જોવાનું રહે છે. જો માત્ર દેહરૂપ પ્રતિમાની પૂજા થાય તો તે પુદ્ગલમય છે, તેથી ફકત પુણ્ય જ મળે. પણ પરમાત્માના ગુણમય તત્ત્વ દેહની પૂજા થાય તો જ ગુણની પ્રાપ્તિ થાય, તો પ્રતિકૂળ સંયોગમાં પણ ચિત્ત પ્રસન્ન રહે અને અનુકૂળ સંયોગની પ્રાપ્તિરૂપ આર્ત ધ્યાનમાંથી ચિત્ત મુકત થાય. આ રીતે જે જિનપૂજા કરતા હોય તેના ઘરમાં પછી કંકાસ ક્યાંથી હોય? કંકાસનું મૂળ અનુકૂળતાની અપેક્ષા જ છે. જો અનુકૂળતાની અપેક્ષા હોય નહીં અને પ્રતિકૂળતામાં અપ્રીતિ ન હોય તો ચિત્ત 44 નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy