SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપવાળા આત્માને અનુકૂળ-પ્રતિકુળ પુદ્ગલનો સંયોગ થતાં જે સાતા-અસાતા રૂપી પીડા થાય છે તે આત્મા માટે હેય છે. આત્માનો સ્વભાવ સમતામાં રહેવાનો છે માટે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે પર લક્ષણdદુઃખ કહીએ, નિજવશ તે સુખ લહીએ, આભાર આભ રમે નિજ ઘર મંગળ માળા દુખનું લક્ષણ પર સંયોગ છે: પરના સંયોગને જ્ઞાનીઓએ દુઃખ કહ્યું છે. પરના સંયોગથી રહિત પોતાની શુદ્ધાવસ્થા સ્વરૂપે જેટલા ગુણોને આત્મા અનુભવે તેટલો તેને સુખનો અનુભવ થાય. આત્મા પરિણામી સ્વભાવવાળો છે. આથી આત્મા પોતાના સ્વભાવમાં પરિણામ ન પામે તો પુદ્ગલના સંગે પુદ્ગલને જ પોતાનું સ્વરૂપ માની તેમાં જ તે પરિણામ પામે છે તેથી તે પીડા પામે છે, માટે પુદ્ગલના સંગને છોડવાનો છે. આત્મામાં રહેલો મોહ એ જડ છે. તે કર્મરૂપ પુલ છે. જડપર જમોહનો ઉદય થાય છે. તેથી મોહના ઉદયમાં પુગલને જ ગ્રહણ-પરિણમન અને ભોગવવાની વૃત્તિ પ્રગટ થાય છે અને તે પ્રમાણે આત્મા પર પ્રવૃત્તિ કરે છે. પુદ્ગલ પુદ્ગલને ગ્રહણધારણ કરવાના સ્વભાવવાળો છે પણ આત્માનો તે સ્વભાવ નથી. દરેક દ્રવ્યો પોતપોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે. બીજાના સ્વભાવ પ્રમાણે વર્તતા નથી. એક જ આત્મા જે પુદ્ગલને પનારે પડયો છે અને તેથી પોતાના સ્વરૂપનો નિર્ણય ન થતાં મોહનાં ઉદયના કારણે પુદ્ગલનો આદર, રસપૂર્વક-રુચિપૂર્વક સ્વીકાર કરે છે. ગ્રહણ- ધારણ – પરિગ્રહ-માલિકીપણું તેનું કરે છે. શુદ્ધાત્મા (સિદ્ધાત્મા)-મોહથી મુકત થયેલો આત્મા જ પોતાના સ્વભાવમાં રમણતા કરે છે, બાકી સંસારી આત્મા જિનાજ્ઞાની વિરુદ્ધ વર્તે છે. પોતાનો સ્વભાવ છોડી પુદ્ગલના સ્વભાવ પ્રમાણે વર્તે છે તેમાં જ પોતાના જીવની મહાનતા, પૂર્ણતા, સફળતા માને છે. જીવ પર પુદ્ગલનો ઉપકાર અને અપકાર બન્ને થાય. આત્માને વર્તમાનમાં ૧૦ દ્રવ્ય પ્રાણાદિની પ્રાપ્તિરૂપેદ્રવ્ય જીવન મળ્યું તે તેનો ઉપકાર ગણાય, પરંતુ તે દ્રવ્ય જીવનમાં આત્મા પોતાને ભૂલી જઈ દ્રવ્ય જીવનને જ પકડી રાખી, તેના માટે જ પોતાનું જીવન અર્પણ કરી, તે માટે જીવતો રહે તે આત્મા પર અપકારરૂપ નિમિત્ત છે. મોહનો પરિણામ પ્રગટવા વડે અનુકૂળ પુદ્ગલના સંયોગમાં સતત સુખ બુદ્ધિ અને પ્રતિકૂળ સંયોગમાં દુઃખબુદ્ધિ એ આત્માના આનંદ 42 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy