SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ જે યોગીઓ શુદ્ધ પ્રેમ રસના આસ્વાદને માણે છે અર્થાત્ જેઓ પોતાના આત્માના ગુણોનો અનુભવ આસ્વાદ માણે છે તેઓ જીવો પ્રત્યે વૈર, ઝેર, દ્વેષાદિ હિંસક ભાવ રાખતા નથી પણ તેઓ જીવો સાથે મૈત્યાદિ ભાવથી પ્રેમ પૂર્વકનું જીવન જીવે છે અને તેમનું જીવન સદા આનંદમય-રસમય અને સર્વ અપેક્ષા રહિત થવા વડે તેમને પુદ્ગલના આસ્વાદ માણવાનો અપેક્ષા ભાવ પણ રહેતો નથી. તેથી પુદ્ગલ રસોમાં સ્વાદ-સુખને અનુભવવાનો રસ તેમને ઉડી જાય છે માટે તેમના જીવનમાં પુદ્ગલભાવની સહજ ઉદાસીનતા પ્રવર્તે. निर्विकल्प महाप्रेम-रसानुभव योगतः साक्षाच्छुद्धात्म संवेदात् प्राप्तव्यम् न अवशिष्यते | (પ્રેમગંગા) યોગીઓ શુદ્ધપ્રેમ રસના અનુભવ પાનવડે ધર્મબળ અને શુક્લધ્યાનના યોગથી સર્વ કર્મમળનો ક્ષય કરી કેવલજ્ઞાન પ્રગટ કરી પરમ-અક્ષય પરમાનંદનો અનુભવ કરે. પુદ્ગલભાવ રુચિનહી, તાÄરહે ઉદાસ સો આતમ અંતર લહે, પરમાનંદ પ્રકાશ. (અધ્યાત્મબાવની) અર્થાત્ આત્માનો પરમાનંદ અનુભવ રસ તે જ માણી શકે જેને પગલ ભાવને માણવામાં રસ રુચિ નથી, તેમાં જેને કંટાળો આવે તે જ પુદ્ગલના રસાસ્વાદ સુખને છોડી શકે. કારણે શરીરને ટેકો આપવો પડે તો તેમાં નિરસભોજન, પણ રસહીન બનીને આપવા પૂરતું આપે. તેથી સાધુ ખાવા છતાં ઉપવાસી. “નિજ અનુભવ લેશથી, કઠિન કર્મ હોયનાશ; અ૫ ભવે ભવિ તે લહે, અવિચલપુર કો વાસ.” (અધ્યાત્મબાવની) સ્વાત્માના ગુણના અનુભવ વિના કર્મોના નાશ ન થાય, કર્મોનો નાશ ત્યારે જ થાય જ્યારે કષાયોનો નાશ થાય. આત્મા પોતાના સ્વભાવમય બને ત્યારે જ કષાયનો નાશ થાય, તોજ વિષયોનોરસતૂટે.આથીવિષયરસને તોડવા વ્યવહારે પરમાત્માની ગુણભક્તિની પ્રધાનતા અને નિયથી સ્વાત્માના ગુણની ઉપાસના જરૂરી. અજીવ તત્વ | 247
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy